શહેરા : ફાફડા જલેબીની ખરીદીમા મંદી જોવા મળતા વેપારીઓમાં નિરાશા

શહેરા,(પંચમહાલ)
ઇમરાન પઠાણ

પંચમહાલ જીલ્લામા આજે દશેરાના પર્વની ઉજવણી કરવામા આવી હતી,જેમા શહેરા સહિત જીલ્લાવાસીઓએ ફાફડા જલેબીની ખરીદી કરીને જયાફત માણી હતી.હાલમા કોરોનાની મહામારીને કારણે લોકડાઉન ત્યારબાદ અનલોક જાહેર કરવામાં આવ્યુ હતુ.આ વર્ષે સૌથી મોટો ગણવામા આવતો તહેવાર નવરાત્રીની ઉજવણી રદ કરવામા આવી હતી,અને માત્ર ગરબા સ્થાપન કરીને આરતી કરવાનુ જણાવામા આવેલ હતુ.માતાજીના ગરબા સ્થાપનની પુજન અર્ચન કરીને આજે આરતી કરવામા આવતી હતી.આજે શહેરા સહિત પંચમહાલ જીલ્લામાં દસેરાના પર્વની ઉજવણી કરવામા આવી હતી.દશેરાના તહેવારએ અસત્ય પર સત્યનો વિજયના પ્રતિક સમોઆ તહેવાર છે.આ દિવસે ખાસ કરીને ફાફડા જલેબી ખાવાનો એક ખાસ દિવસ માનવામા આવે છે.ફરસાણના વેપારીઓ પણ દશેરાના તહેવારની આગવી તૈયારી કરતા હોય છે.જેમા એડવાન્સમાજ ફાફડા જલેબી ,ચોળાફળી બનાવતા હોય છે.હાલમા કોરોનાની મહામારીને પગલે ફાફડા જલેબીના વેપાર પર અસર પહોચવા પામી છે.દશેરાના દિવસે સવારથી ખરીદી કરવા માટે લાઈનો લાગતી હોય છે.પણ આજે બજારમા કેટલીક દૂકાનો પર મંદી જોવા મળતી હતી.પણ વેપારીઓએ આશા વ્યકત કરી હતી. સારો એવો વેપાર દિવસ જતા થઈ જશે.જલેબી-૧૫૦ રૂપિયા કિલો,ફાફડા-૩૦૦રૂપિયા કીલો વેચાઈ રહ્યા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here