મોરબી, આરીફ દીવાન :-
ગુજરાત પ્રમુખ સાબીરભાઈ કાબલીવાલા તેમજ અમદાવાદ શહેર પ્રમુખ એડવોકેટ શમસાદ ખાન પઠાણના માર્ગદર્શન થી સમગ્ર ગુજરાત સહિત સૌરાષ્ટ્રના વિવિધ વિસ્તારોમાં એ આઈ એમ આઈ એમ પાર્ટીના જન સંપર્ક કાર્યાલય શરૂ કરી સતત પ્રજાના સંપર્ક માં રહી પ્રજાહિત કાર્ય કરવાના હેતુસર ગુજરાત સહિત સૌરાષ્ટ્રના વિવિધ વિસ્તારોમાં નવા પરિવર્તન સાથે આજના આધુનિક યુગમાં યોગ્ય અને ઝડપી લોકોને સરકારી યોજનાઓ અંતર્ગત માહિતી સહિત સમસ્યા નિરાકરણ અંતર્ગત જન સંપર્ક કાર્યાલય નું આયોજન કરવામાં આવ્યું છે જેમાં જૂનાગઢ જિલ્લાના પ્રમુખ સુલેમાનભાઈ પટેલ અને જિલ્લા મહામંત્રી યુસુફભાઈ કરુડ પોતાની પાર્ટી ની ટીમ સાથે સૌરાષ્ટ્રના વિવિધ વિસ્તારોમાં જન સંપર્ક કરી રહ્યા છે. વિધાનસભા 2022 અંતર્ગત રાજકીય સેન્સ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ પણ પ્રજાહિત કાર્ય સતત ચાલુ રહેશે તેવા પ્રયાસો અંતર્ગત સમગ્ર સૌરાષ્ટ્રના શહેર જિલ્લા તાલુકામાં જન સંપર્ક કાર્યાલય શરૂ કરવામાં આવશે. હાલ ગુજરાતમાં મોટાભાગે કોંગ્રેસ અને ભાજપ રાજકીય રાજકીય ક્ષેત્રે ચૂંટણી અંતર્ગત દેખાવ પ્રદર્શનની સાથે સાથે ભોળી મતદાર પ્રજાના પ્રાથમિક સુવિધાથી માંડી મેડિકલ ક્ષેત્રે શૈક્ષણિક ક્ષેત્રે આજના આધુનિક યુગમાં પણ સતત નિષ્ફળ નીવડી હોય તેમ મોટાભાગે લોકો મહેસૂસ કરી રહ્યા છે ત્યારે ગુજરાતમાં તકવાદી નેતાઓ સામે પ્રજાના મૂળભૂત અધિકાર હિત માટે હૈદરાબાદ ના ઔવેસી ની પાર્ટી એ.આઈ.એમ.આઈ.એમ. ગુજરાત સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં વિવિધ જિલ્લાઓમાં નવા પરિવર્તન સાથે નવ યુવાનોની જનમેદની સાથે જન સંપર્ક કાર્યાલય શરૂ કરી, લોકોના હક હિત અધિકાર માટે સમગ્ર ગુજરાત સહિત સૌરાષ્ટ્રના મુસ્લિમ,દલિત,આદિવાસી,ઓબીસી વગેરે સર્વે સમાજના નવયુવાનો ની નવી બોડીની રચના કરી નિમણૂક આપી સતત કાર્યશીલ રહી શકે તેવા હેતુ સાથે પ્રજાહિત કાર્ય સહિત રાષ્ટ્રહિત માટે પોરબંદર જુનાગઢ,ગીર સોમનાથ, અમરેલી, રાજકોટ, જામનગર મોરબી, ભુજ કચ્છ સુરેન્દ્રનગર, વગેરે વગેરે વિસ્તારોમાં પ્રજા ચિંતક નવ યુવાનો ની નિમણૂક કરી સમગ્ર સૌરાષ્ટ્રમાં એ. આઈ. એમ. આઈ એમ. પાર્ટીના જન સંપર્ક કાર્યાલય ખુલ્લા મુકવાની તડામાર તૈયારીઓ શરૂ કરવામાં આવી છે જેથી સમગ્ર સૌરાષ્ટ્રમાં તકવાદી નેતાઓ ને પ્રજાના મતની લોકશાહીમાં લોકો ખરા અર્થમાં લોકશાહી નો લાભ લઇ શકે તેવા હેતુસર આઈ એમ આઈ એમ પાર્ટીના સક્રિય કાર્યકર યુવા નેતાઓ કાર્યકરો હોદ્દેદારો દ્વારા આવનારા સમયમાં વિવિધ વિસ્તારોમાં પ્રજા હિત કારી અંતર્ગત જન સંપર્ક કાર્યાલય શરૂ કરી પ્રજાના મૂળભૂત અધિકાર સાથે પ્રજાપતિ ચિંતક રજૂઆત કરી પ્રજાહિત કાર્ય કરવા જનજાગૃતિ અભિયાન એ આઈ એમ આઈ એમ પાર્ટી દ્વારા શરૂ કરવામાં આવી છે એવું એક અખબારી યાદીમાં જૂનાગઢ જિલ્લા પ્રમુખ સુલેમાનભાઈ પટેલ તથા જિલ્લા મહામંત્રી યુસુફભાઈ કરુડે જણાવ્યું હતું.