બોડેલી,(છોટા ઉદેપુર) ઈમ્તિયાઝ મેમણ :-
રાજ્યમાં દિન પ્રતિદિન કોરોના સંક્રમણનાં કેસોમાં નોંધપાત્ર વધારો થઇ રહ્યો હોય કોરોના નાં દર્દીઓ માટે તાજેતરમાં રાજ્ય સરકાર દ્વારા નવી ૧૦૮ એમ્બ્યુલન્સો વિવિધ જિલ્લાઓમાં ફાળવવામાં આવી છે ત્યારે છોટાઉદેપુર જિલ્લા માં પણ કોરોના સંક્રમણનાં કેસોમાં નોંધપાત્ર વધારો થઇ રહ્યો હોય તેને ધ્યાનમાં લઇ સરકાર દ્વારા જિલ્લા માં વધુ બે ૧૦૮ એમ્બ્યુલન્સ ફાળવવામાં આવી છે જેમાં એક છોટાઉદેપુર ખાતે અને બીજી બોડેલી ખાતે ૧લી મે થી લોક સેવાર્થે ફરતી થઇ જતાં હવે જિલ્લા માં કુલ 17 જેટલી ૧૦૮ એમ્બ્યુલન્સ કાર્યરત છે.