વાંકાનેર લુણસરીયા અને બોકડ થાંભામાં કોરોના વેક્સિન કાર્યક્રમ યોજાયો

વાંકાનેર,(મોરબી) આરીફ દીવાન :-

વાંકાનેર પંથક માં કોરોના મહામારી અંતર્ગત લોકો ચિંતક બન્યા હતા ત્યારે હાલ રસીકરણ વેક્સિન નો કાર્યક્રમ વાંકાનેર તાલુકાના વિવિધ વિસ્તારોમાં ચાલી રહ્યો છે ત્યારે લુણસરીયા બોકડથંભા વિસ્તારમાં જાતે સરપંચ જયુભા ઝાલા એ સમગ્ર ગામ પંચાયતની બોડી સહિત ગામના અગ્રણીઓ આગેવાનો યુવાનો સાથે મળી ગત તારીખ 17 9 2021 ના રોજ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીજી ના જન્મદિવસ નિમિત્તે પોતાના ગ્રામ્ય વિસ્તારમાં કોરોના મુક્ત વેક્સિન રસી કેમ્પ અંતર્ગત લોકોમાં જાગૃતતા લાવી કોરોના મુક્ત રહે લોકો તેવા પ્રજાહિત કાર્ય અંતર્ગત વેક્સિન કાર્યક્રમ કરી વેક્સિન રસી કેમ્પ યોજ્યો હતો જેમાં જોગાનુજોગ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે વાંકાનેર તાલુકાના વિસ્તારના લુણસરીયા અને બોકડથંભા માં સરપંચે ડબલ ખુશી વ્યકત કરી હતી જે તસવીરમાં નજરે પડે છે આ કાર્યક્રમને સફળ બનાવવા માટે સરપંચ જયુભા ઝાલા અને ગ્રામ પંચાયતના ચૂંટાયેલા સભ્યો ગામજનો અગ્રણીઓ આગેવાનો યુવાનો સારી એવી જહેમત ઉઠાવી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here