વાંકાનેર પોલીસે અષાઢી બીજ નિમિત્તે રથયાત્રા રૂટની સાથે મચ્છુમાના મંદિર સુધીનું રિહર્સલ કર્યું

વાંકાનેર, (મોરબી) આરીફ દીવાન :-

રામ રથોત્સવ જગન્નાથપુરી રથયાત્રાનું સમગ્ર રાજ્યમાં તારીખ 20 6 20023 ના રોજ અમદાવાદ સહિત ના વિવિધ શહેર જિલ્લામાં ઉત્સાહભેર ઉજવણી અંતર્ગત વાંકાનેરમાં પણ ભક્તોમાં મોટી સંખ્યામાં રથયાત્રા શોભાયાત્રા સાથે પસાર થશે ત્યારે સમગ્ર ગુજરાત સહિત વાકાનેરમાં પણ અષાઢી બીજ નિમિત્તે રથયાત્રાનું દર વર્ષની જેમ આયોજન કરવામાં આવ્યું છે ત્યારે આજરોજ તારીખ 18 6 2023 ને રવિવારના રોજ જિલ્લા પોલીસ વડા ની સૂચના થી મોરબી જિલ્લા ડી વાય એસ પી પી.એ. ઝાલા સહિત સમગ્ર પોલીસ કાફલો વાંકાનેર વિસ્તારના વિવિધ માર્ગો પર પેટ્રોલિંગ સ્વરૂપે રીઅસલ રથયાત્રાના રૂટ પ્રમાણે કરવામાં આવ્યું હતું જેમાં વાંકાનેર સીટી પી.આઇ. પી ડી સોલંકી વાંકાનેર સીટી પી.એસ.આઇ. ડી.વી. કાનાણી સહિત સમગ્ર પોલીસ કાફલો મુખ્ય માર્ગો સાથે વાંકાનેરના મચ્છુમાના મંદિર ખાતે અગ્રણીઓ આગેવાનોની મુલાકાત કરી હતી જે સમગ્ર કાર્યક્રમ અંતર્ગત તસવીરમાં નજરે પડે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here