વાંકાનેર, (મોરબી) આરીફ દીવાન :-
આરીફ દિવાન: વાંકાનેર તાજેતરમાં ગત તારીખ 9 5 2023 ના રોજ સનાતન જ્યોત યાત્રા શ્રી હનુમાનજી યુવા કથા આમંત્રણ રથ વાંકાનેર ખાતે ફૂલ દરવાજે પહોંચ્યો હતો જે સમય દરમિયાન ભારતીય જનતા પાર્ટી ના ધારાસભ્ય જીતુભાઈ સોમાણીના માર્ગદર્શન હેઠળ સનાતન જ્યોત યાત્રાનુ સન્માન કરવામાં આવ્યું હતું આ યાત્રા નું રામનવમી નિમિત્તે ગૃહ મંત્રી અમિતભાઈ શાહ ની અધ્યક્ષતા એ સાળંગપુર ખાતે યાત્રાનું પ્રસ્થાન કરેલ જે દેશના વિવિધ રાજ્ય શહેરમાં સનાતન જ્યોત યાત્રા તથા શ્રી હનુમાનજી યુવા કથા આમંત્રણ રથ શ્રી સ્વામિનારાયણ સંપ્રદાય વડતાલ સંચાલિત શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજી મંદિર સાળંગપુર ધામ ગુજરાત તથા નમોસેના ટ્રસ્ટ પરિવાર દ્વારા આયોજન કરવામાં આવ્યું છે જે રથયાત્રા માં શ્રી હનુમાનજી મહારાજની 11 ફૂટ વિશાળ ગદાનો દર્શન કરાવવા 11 રાજ્યો તથા 11 11 1 કિલોમીટરનું અંતર કાપી 111 પ્રસિદ્ધ તીર્થ સ્થાનો ફરીને સમગ્ર દેશમાં ભારતીય સંસ્કૃતિ સંસ્કાર સનાતન ધર્મ પ્રત્યે વિવિધ શહેરમાં જાગૃતતા લાવવા માટે અને દિલ્હી ખાતે આયોજિત શ્રી હનુમાનજી યુવા કથામાં સર્વે ધર્મ પ્રેમીઓને ભાવભર્યું આમંત્રણ પાઠવવામાં આવ્યું છે ત્યારે આ સનાતન જ્યોત યાત્રા વાંકાનેરમાં પહોંચેલ તે સમયે ભાવભર્યું સ્વાગત કરી યાત્રીઓને પ્રોત્સાહિત કર્યા હતા.