રાજપીપળા, (નર્મદા) આશિક પઠાણ :-
નર્મદા જીલ્લાના નવા વાઘપુરા (જીતપુરા) ગામ ની પરિણીતા ને પતિ સહિત સાસરિયાં ટોણા મારતા હોવાથી પરણીતા દોઢ મહિનાથી પિયર માં રહેવા મજબુર બની
નર્મદા જિલ્લાના ગરુડેશ્વર તાલુકાના નવા વાઘપુરા ગામમાં પતિ દેવ સહિત સાસરિયાંઓ ની હેરાનગતિ થી પરણીતા એ ઝેરી દવા પી આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો.
મળતી માહિતી અનુસાર રેખાબેન અશ્વિનભાઇ તડવી, રહે-નવા વાઘપુરા(જીતપુરા) તા-ગરુડેશ્વર જિ.નર્મદા એ આપેલી ફરિયાદ મુજબ તેમની દિકરી દિવ્યાબેન તે સંજીવભાઇ તડવી ની પત્નિ જેના લગ્ન ગઇ તા-૧૫/૦૫/૨૦૨૩ ના રોજ તેમનાં સમાજનાં રીતિ રીવાજ મુજબ ધામદરા ગામે રહેતા સંજીવભાઇ મનહરભાઇ તડવી સાથે થયેલ અને છેલ્લા દોઢેક મહીનાથી દિવ્યાબેન ને તેમનાં પતી તેમજ તેમનાં પતીનાં ઘરનાં સભ્ય તેને કહેતા હતા કે તુ સારી નથી અને ગમતી નથી તેવા મેના ટોણા મારતા હોય અને છુટા છેડા કરવા જણાવતાં પરિણીતા દિવ્યાબેન છેલ્લા દોઢેક મહીનાથી તેમનાં માતા-પિતા સાથે પિયરમાં નવા વાઘપુરા (જીતપુરા) ખાતે રહેતી હોય અને તેમના પતી સાસરીમાં લઇ જતા ન હોય જે વાતનું મનમાં લાગી આવતાં પોતાની જાતે ઝેરી દવા પી જતા સારવાર માટે દવાખાને ખસેડવામાં આવી હતી,આ બનાવ ની જાણ પોલીસ ને થતા આં બાબતે રાજપીપળા પોલીસે તપાસ હાથ ધરી છે.