રાજપીપળા,(નર્મદા) આશિક પઠાણ :-
રમત ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ, ગાંધીનગર હસ્તકની કમિશનર યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ, ગાંધીનગર આયોજિત તથા જિલ્લા યુવા વિકાસ અધિકારી નર્મદા ધ્વારા “આઝાદિકા અમૃત મહોત્સસવ” ની થીમ આધારિત તા.૧૫/૧૦/૨૦૨૧ ના રોજ હરસિધ્ધિ માતાના મંદિર પરિસર ખાતે સાંજે ૫:૩૦ થી ૦૭:૦૦ વાગ્યા દરમિયાન પરંપરાગત સાંસ્કૃતિક કાર્યક્રમનુ આયોજન કરવામાં આવનાર છે, સાંસ્કુતિક કાર્યક્રમ નિહાળવા નર્મદા જિલ્લાની જાહેર જનતાને હાર્દિક નિમંત્રણ પાઠવવામાં આવે છે, તેમ જિલ્લા યુવા વિકાસ અધિકારી પી.એ.હાથલીયા, જિલ્લા રમત-ગમત અધિકારીની કચેરી, રાજપીપલા-નર્મદા દ્વારા જણાવાયું છે.