મહાકાળીના આશીર્વાદ અને તંદુરસ્તીની કામના સાથે મંદિર પરિસર અને માંચી ચાચર ચોકમાં મોટી સંખ્યામાં યોગસાધકો યોગમાં તલ્લીન બન્યા

હાલોલ, (પંચમહાલ) ઈશહાક રાંટા :-

આઇકોનિક સ્થળ પાવાગઢ ખાતે નવમા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની હર્ષભેર ઉજવણી કરાઈ

‘‘૨૧ મી જૂનને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ’’ અંતર્ગત આઇકોનિક સ્થળ તરીકે શક્તિપીઠ પાવાગઢ ખાતે નવમા આંતરરાષ્ટ્રીય યોગદિવસની હર્ષભેર ઉજવણી કરાઈ હતી. ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા રાજ્યમાં ૭૫ આઇકોનિક સ્થળ પર યોગ દિવસની ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું હતું.જે અન્વયે પંચમહાલ જિલ્લાના લાખો શ્રધ્ધાળુઓના આસ્થાના કેન્દ્ર પાવાગઢને, આઈકોનિક સ્થળ તરીકે જાહેર કરી રાજ્ય સરકાર દ્વારા આંતર રાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવાનું આયોજન કરાયું હતું.
જે અંતર્ગત પાવાગઢ સ્થિત મહાકાળી માતાજીના મંદિર પરિસર અને માંચી સ્થિત ચાચર ચોકમાં મોટી સંખ્યામાં લોકો અને શ્રદ્ધાળુઓએ યોગ દિવસની ઉજવણીમાં ભાગ લઇ ભક્તિભાવ સાથે યોગ સાધનામાં સહભાગી થયા હતા. યોગના વિવિધ આસનો સાથે મહાકાળીના આશીર્વાદ સાથે તંદુરસ્તીની કામના કરતાં યોગસાધનાનો લ્હાવો લીધો હતો.
પ્રાચીન ભારતીય પરંપરા દ્વારા માનવજાતને અપાયેલી એક અમૂલ્ય ભેટ એવી ‘‘યોગ વિદ્યા’’ ને વિશ્વ ફલક ઉપર લાવવા માનવજાતને આરોગ્ય, સુખાકારી અને માનવતા તરફ દોરવાના ઉમદા હેતુથી વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી દ્વારા સંયુક્ત રાષ્ટ્ર સંઘની ૬૯મી સામાન્ય સભા સમક્ષ ‘‘૨૧ મી જૂનને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ’’ તરીકે ઉજવવા કરેલ પ્રસ્તાવને સંયુક્ત રાષ્ટ્ર સંઘ દ્વારા મંજુર કરવામાં આવતા, સમગ્ર વિશ્વમાં તા. ૨૧ જૂનના દિવસને ‘‘આંતરરાષ્ટ્રીય યોગ દિવસ’’ તરીકે ઉજવવામાં આવે છે. ભારત સરકાર તથા રાજ્ય સરકારની G-૨૦ ની વન અર્થ વન હેલ્થની થીમને ધ્યાનમાં રાખતા આ વર્ષે “વસુધૈવ કુટુંમ્બકમ માટે યોગ” હર ઘરના આંગણે યોગ”ની થીમ સાથે ૨૧ જૂન-૨૦૨૩ ના રોજ આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ઉજવણી કરવાનું નક્કી કરવામાં આવ્યું હતું. જે અંતર્ગત પંચમહાલ જિલ્લાના વિશ્વ પ્રસિધ્ધ યાત્રાધામ પાવાગઢ ખાતે આઈકોનીક પ્લેસ તરીકે યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી.
આ પ્રસંગે હાલોલ પ્રાંત અધિકારીશ્રી મયુર પરમાર,જિલ્લા રમત ગમત અધિકારીશ્રી મયુરબા ઝાલા,ટ્રસ્ટના વહીવટદારશ્રીઓ,સામાજિક અગ્રણીશ્રીઓ, શૈક્ષણિક સંસ્થાઓ સહિત શ્રદ્ધાળુઓ અને યોગસાધકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here