બોડેલી પાસે નર્મદા મેઇન કેનાલમાં બે મિત્રો મૃત હાલતમાં મળતા ચકચાર…

બોડેલી,(છોટાઉદેપુર) એસ વી ચારણ :-

બોડેલી નજીક ડુમા અને ઉચેટ પાસે મેઈન કેનાલમાં બે દિવસ પહેલા ડૂબી ગયા હતા

શિવરાજપુર ના આ બંને મિત્રો બીજા દિવસે પણ નર્મદાના પાણીમાં શોધખોળ કરતા પણ મળ્યા ન હતા તારીખ 12 ડિસેમ્બરના રોજ બપોરે મૃતદેહ મળી આવ્યા હતા વડોદરાની એનડીઆરએફ ટીમ નર્મદા નહેરમાંથી બંને યુવાનોના મૃતદેહ ને શોધી કાઢીને બહાર કાઢ્યા હતા મળતી માહિતી મુજબ આ મિત્રો બોડેલી કેનાલ મારફતે બાઈક ઉપર ત્રણ મિત્રો સાથે આવતા હતા ત્યારે બંને મિત્રો નર્મદા કેનાલમાં સેલ્ફી ફોટો લેવાના તેમજ હાથ પગ ધોવાના ચક્કરમાં જીવ ગુમાવ્યા હતા આ સુનિલ તેમજ અરવિંદ પાણીમાં ડૂબીયા ત્યારે તેમના મિત્ર બચાવવાની કોશિશ કરી હતી પણ પાણીનો પ્રવાહ વધારે હોવાથી બંને મિત્રો બચી ન શક્યા બે દિવસ પછી આ બંને લાશ કેનાલમાંથી મળી આવી હતી એનડીઆરએફ ની ટીમ આ બંન્ને લાશને બહાર કાઢી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here