બોડેલી તાલુકાના વણીયાદ્રી ગામ નજીકથી પસાર થતી નર્મદા કેનાલમાં મહિલાએ ઝંપલાવી જીવન ટૂંકાવતા ચકચાર

બોડેલી,(છોટાઉદેપુર)
ઇમ્તિયાજ મેમણ

કેનાલ પાસેથી પસાર થતા ગામના જ વાહન ચાલકએ જોઈ લેતા પરિવારજનો ને જાણ કરતા પરિવારજનો સ્થળ પર પોહચી મહિલાની લાશ બહાર કાઢી હતી સમગ્ર બનાવની જાણ બોડેલી પોલીસને થતા પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે

સંખેડાના સરસિંડા ગામમાં રહેતા દિવ્યનારાયણ સિંહ સોલંકીની પુત્રી દીપિકા (ઉ.વ ૨૩) ના લગ્ન 2017માં આણંદ નજીક સારસાના યુવક જ્યેન્દ્રસિંહ સાથે થયા હતા.જેઓને બે વર્ષનો પુત્ર પણ છે. તેઓ વડોદરાના ગોરવા પાસે રામી સ્કૂલની સામે પોતાના મકાનમાં રહેતા હતા. બોડેલી તાલુકાના વણીયાદ્રી ગામ પાસેથી પસાર થતી નર્મદાની કેનાલમાં કોઈક કારણોસર બપોરના સમયે દીપિકા પાણીમાં ઝંપલાવ્યું હતું જેને ગામના જ વાહનચાલકએ જોઈ લેતા દીપિકાના પરિવારજનો ને જાણ કરતા પરિવારજનો કેનાલ પર આવ્યા ત્યારે વણીયાદરી અને લઢોદ કેનાલની વચ્ચેથી દીપિકાને બહાર કાઢી હતી.બનાવની જાણ ૧૦૮ ને કરાતા તાત્કાલિક ૧૦૮ સ્થળ પર પોહચી મહિલાને બોડેલી સરકારી દવાખાને ખસેડવામાં આવી હતી. ત્યાં તબીબે દીપિકાને મૃત જાહેર કરી હતી.સમગ્ર બનાવની જાણ બોડેલી પોલીસને થતા બોડેલી પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here