બોડેલી, (છોટાઉદેપુર) ચારણ એસ વી :-
બોડેલીની શેઠ એચ.એચ. શિરોલાવાલા હાઇસ્કૂલનાં પટાંગણમાં શાળાના વિદ્યાર્થીઓને શાળા પરિવાર દ્વારા દુધાળા દેવ શ્રી ગણેશજીની સ્થાપના કરી પાંચ દિવસ સેવા પૂજા કરી આજે ગણેશજીને ભાવભરી વિદાય આપવા વિસર્જનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો જેમાં શાળા સંચાલક મંડળના પ્રમુખ રાજુભાઈ શાહ એકતા વાળા, મંત્રી ભાવેશભાઈ શીરોલાવાલા, ઉપપ્રમુખ સુનિલભાઈ શાહ આકાશ ઠક્કર સહિત ટ્રસ્ટી મંડળના સદસ્યો, શાળાના આચાર્ય એમ.એસ.ગજજર, શાળાના શિક્ષક મિત્રો સાથે બરોડા સેન્ટ્રલ કો.ઓપ. બેન્કનાં વાઇસ ચેરમેન અને વિસ્તારના યુવા સહકારી ક્ષેત્રના અગ્રણી શિવુભાઈ મહારાઉલ, બોડેલી તાલુકા પંચાયત પ્રમુખ શ્રીમતી ડો. શીતલ કુંવરબા મહારાઉલ, બોડેલી તાલુકા ભાજપાનાં પ્રમુખ કાર્તિક શાહ સાથે આમંત્રિત મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા.ભગવાન સત્યનારાયણની કથા સાથે રિધ્ધિ સિધ્ધિ નાં દાતા શ્રીગણેશજીને ડીજે ના તાલે અને ગરબાની ભારે રમઝટ બોલાવી આનંદ ઉલ્લાસ સાથે શાળાના વિદ્યાર્થીઓ, શિક્ષકો અને ટ્રસ્ટી મંડળ તેમજ ઉપસ્થિત મહેમાનો દ્વારા ગણપતિ બાપા ની વિદાય આપવામાં આવી હતી ત્યારે ગણપતિ બાપ્પા મોરિયાના નારાથી સમગ્ર વાતાવરણ ગણેશમય બન્યું હતું.