રાજપીપળા,(નર્મદા) આશિક પઠાણ :-
પ્રદેશ ભાજપ મહામંત્રી પ્રદિપસિંહ વાઘેલા રાજપીપળા ની મુલાકાતે આવ્યા હતા તેઓ એ સહુ પ્રથમ રાજપીપળા માં આવેલ ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી સંચાલિત બ્લડ બેંક ની મુલાકાત લઈ બીજેપી યુવા કાર્યકરો ને રકતદાન માટે પ્રોત્સાહિત કર્યા હતા. યુવા નગરપાલિકા કોર્પોરેટર ગિરિરાજ ખેર સાથે અન્ય યુવાનોએ અહી રકતદાન કર્યું હતું.બીજેપી જીલ્લા પ્રમુખ ઘનશ્યામભાઈ પટેલ ,નિલભાઈ રાવ , અજિત ભાઈ પરીખ , રાજેન્દ્રભાઇ પટેલ તથા રેડ ક્રોસ રાજપીપળા ના વાઇસ ચેરમેન ડૉ.દર્શનાબેન દેશમુખ તથા સભ્ય જયેશભાઇ દોશી એ પ્રદીપસિંહ ને આવકાર્યા હતા.
ત્યાર બાદ તેઓ એ કૉવિડ હોસ્પિટલ રાજપીપળા ની મુલાકાત લીધી હતી અને ડૉક્ટર તથા સ્ટાફ સાથે મુલાકાત કરી હોસ્પિટલ માં સારવાર લેતા દર્દી અને તેમના સગા ને કોઈ જાત ની તકલીફ નથી પડતી તે અંગે જાણકારી મેળવી લોકો ની મુલાકાત લીધી હતી અને આશ્વાશન આપ્યું હતું કે કઈ પણ તકલીફ હોય તો તરત બીજેપી કાર્યકર્તાઓ નો સંપર્ક કરે તેમની સમસ્યાનું નિરાકરણ લાવવાની કોશિશ કરશે, તેઓ એ દર્દી ને ઓક્સીજન કે દવા ની તકલીફ નથી પડતી તેની પણ જાણકારી તંત્ર પાસે થી લીધી હતી.