પંચમહાલ : વેજલપુર પોલીસમા ટીઆરબી તરીકે ફરજ બજાવતા યુવાન ઉપર અજાણ્યા ઈસમો દ્વારા એસિડ હુમલો થતાં ફરિયાદ

કાલોલ,(પંચમહાલ)
મુસ્તુફા મિરઝા

જીતપુર ગામ ના લાડુપુરા ડેરી વાળા ફળિયામાં રહેતા પંકજભાઈ સંતોષભાઈ બારીયા ૨૦૧૪થી ટ્રાફિક બ્રિગેડમાં ફરજ બજાવે છે અને તારીખ ૦૧/૧૧/૨૦૧૮ ના રોજ થી વેજલપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં ટીઆરબી જવાન તરીકે ફરજ બજાવે છે. તેઓની ફરજ સાંજના સાત સુધી હોય છે ગત તારીખ ૭ સપ્ટેમ્બરના રોજ તેઓ પોતાની ફરજ બજાવી સાંજે ૭:૩૦ વાગ્યે ઘરે જતા હતા તે દરમિયાન ખરસાલીયા ફાટક ચાઇના ગામના સીમાડા ઉપર નાળું પસાર કરીને મોટરસાયકલ ઉપર જતા વળાંકમાં આગળ ડાબી બાજુ જાડી શાખામાં છુપાયેલા અજાણ્યા ઈસમો માંથી કોઈ એક ઈસમ દ્વારા આ ટીઆરબી જવાન ઉપર અચાનક પ્રવાહી જેવુ ફેંકતા જમણી બાજુ કપાળમાં આંખના ભાગે છાતીના ભાગે આ પ્રવાહી પડતાં તેને બળતરા થવા લાગી હતી અને આ પ્રવાહી એસિડ હોવાની તેને ગંધ આવતા આ માણસો ફરીથી એસિડ ફેક્સે તેવા ડર થી મોટરસાઇકલ ઉભી રાખ્યા વગર આગળ નીકળેલા અને આગળ જતી એક મોટર સાયકલને ઓવરટેક કરી ઊભી રખાવતા તેમના ગામના ત્રણ ઈસમો તે મોટરસાયકલ પર હતા તેઓને વાત કરતા તેઓએ તાત્કાલિક ઘરે લઇ ગયા હતા ત્યાંથી ૧૦૮ ને ફોન કરતા ગોધરા સિવિલ હોસ્પિટલ ખાતે દવા સારવાર માટે દાખલ થયેલા. જ્યાંથી તેઓએ પોતાની પોલીસ ફરિયાદ નોંધાવતા વેજલપુર પોલીસ અજાણ્યા ઇસમો સામે ઈપીકો કલમ ૩૨૬(એ) ,૧૨૦(બી), ૧૧૪ મુજબ ગુનો દાખલ કરી પી.એસ.આઇ એન એમ રાવતે તપાસ હાથ ધરી છે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here