ગોધરા,(પંચમહાલ)
ઈશ્હાક રાંટા
તુવેર પકવતા ખેડૂતોને વર્ષ 2020-21 દરમિયાન ખરીફ સીઝનમાં પકવેલ તુવેરના યોગ્ય ભાવ મળે તે માટે સરકારશ્રી દ્વારા પ્રાઈઝ સપોર્ટ સિસ્ટમ હેઠળ પ્રતિ ક્વિન્ટલ લઘુત્તમ રૂ. 6,000/-ના ટેકાના ભાવે તુવેરની ખરીદીનું આયોજન કરવામાં આવ્યું છે. જે માટે તા. 15મી જાન્યુઆરી, 2021થી તા. 31મી જાન્યુઆરી, 2021 સુધી ખેડૂત રજિસ્ટ્રેશન થનાર છે. જેથી પંચમહાલ જિલ્લાના ખેડૂતો તુવેર પાકનું વેચાણ કરે અને ઇ-ગ્રામ કેન્દ્રો ખાતે વી.સી.ઈ.ની મદદથી તા. 15મી જાન્યુઆરી, 2021 થી તા. 31 જાન્યુઆરી, 2021 સુધી વધુમાં વધુ ખેડૂતો રજિસ્ટ્રેશન કરાવે અને પ્રાઈઝ સપોર્ટ સિસ્ટમ હેઠળના ભાવે તુવેર પાકનું વેચાણ કરે તે માટે જિલ્લા ખેતીવાડી અધિકારીની અખબારી યાદીમાં જણાવાયું છે.