પંચમહાલ જિલ્લામાં કોરોના સંક્રમણનો નવો એક કેસ નોંધાયો,બગોધરા ગ્રામ્યમાંથી કોરોના સંક્રમણનો એક કેસ

ગોધરા,(પંચમહાલ) ઈશહાક રાંટા

જિલ્લામાં કુલ સક્રિય કેસોનો આંક 30

પંચમહાલ જિલ્લામાં આજે કોરોના સંક્રમણનો નવો એક કેસ મળી આવ્યો છે. આ સાથે જિલ્લામાં કોરોનાના કેસોની કુલ સંખ્યા 3994 થવા પામી છે. જયારે જિલ્લામાં સક્રિય કેસોની કુલ સંખ્યા 30 થઈ છે, જેમની સારવાર હાથ ધરવામાં આવી રહી છે. આજે મળી આવેલ એકમાત્ર કેસ ગોધરા ગ્રામ્યમાંથી મળી આવ્યો છે. શહેરી વિસ્તારોમાં સંક્રમણના કુલ 2919 કેસ નોંધાયા છે. ગ્રામ્ય વિસ્તારમાં કુલ 1075 કેસ મળી આવ્યા છે. જ્યારે 03 દર્દીઓને સારવાર બાદ સ્વગૃહે પરત ફરવા રજા આપવામાં આવી હતી. હોસ્પિટલમાંથી રજા મેળવનાર દર્દીઓની કુલ સંખ્યા 3823 થવા પામી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here