રાજપીપળા કોવિડ હોસ્પિટલમાં થતાં ઉપરા છાપરી મોત પર લોકો ઉઠીમાં રહ્યા છે અનેક સવાલો..!!??

રાજપીપળા,(નર્મદા) આશિક પઠાણ :-

કોવિડ હોસ્પિટલમાં સારવાર મેળવતાં 6 દર્દીઓ મોતને ભેટ્યા

કેન્દ્ર સરકારનો એસપીરેશનલ જીલ્લો નર્મદા આદિવાસીઓ સહિત તમામ વર્ગ ના લોકો ના મોતને મામલે એક્ષપરીમેન્ટ કરતો હોય એવું લાગી રહ્યું છે. રાજપીપળા કોવિડ હોસ્પિટલમાં સારવાર મેળવતાં દર્દી ઓના દરરોજ મોત નીપજી રહયા છે , મોતની ખરી હકીકતો બહાર આવતી જ નથી !!! આવુ કેમ ??

આજરોજ પણ રાજપીપળા કોવિડ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવેલ દર્દી ઓ પૈકી 6 ના મોત નિપજ્યા હોવાનું જાણવા મળ્યું છે જેમાં ( 1) રતિલાલ મંગુભાઇ વસાવા ઉ.વ. 58 રહે. રાજપીપળા (2) માવી કોલીન કોઉલ ઉ.વ.58 રહે.સેલંબા (3) અરુણાબેન અમૃતભાઈ પટેલ ઉ વ . 58 ( 4) ચંદુલાલ હીરાલાલ પરમાર ઉ વ. 90 ( 5) નીરૂબેન દોલતસિંહ ગોહિલ ઉ વ. 60 રહે. નવાપરા નિકોલી (6) મોટુભાઈ ઉતારાભાઇ વસાવા ઉ.વ. 60 નાઓના દવાખાનામાં જ મોત નિપજ્યા છે.

શુ આ લોકો અન્ય બિમારીમા મોતને ભેટ્યા ?? તો પછી કોવિડ હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં કેમ આવ્યા ?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here