પંચમહાલ જિલ્લામાં કોરોના સંક્રમણની નોઝ ડાઈવ, 07 નવા કેસો નોંધાયા,
સક્રિય દર્દીઓની સંખ્યા 230 થઈ

ગોધરા,(પંચમહાલ) ઈશહાક રાંટા :-

59 દર્દીઓને આજે હોસ્પિટલમાંથી રજા અપાઈ

કુલ કેસનો આંક 9512 થયો કોરોનાને પછડાટ આપી 9096 દર્દીઓ સ્વગૃહે પરત ફર્યા

પંચમહાલ જિલ્લામાં કોરોના સંક્રમણની ગતિ સતત ઘટી રહી છે. આજે કોવિડ-19 સંક્રમણના નવા 07 કેસ મળી આવતા સંક્રમણના કુલ કેસની સંખ્યા 9512 થવા પામી છે. આજે 59 દર્દીઓને સારવાર બાદ હોસ્પિટલમાંથી રજા આપવામાં આવતા હાલની સ્થિતિએ જિલ્લામાં સક્રિય દર્દીઓની સંખ્યા ઘટીને 230 થવા પામી છે, જેમની સારવાર હાથ ધરવામાં આવી રહી છે. નવા મળી આવેલા તમામ કેસો પૈકી ગોધરા શહેરમાંથી 01 કેસ મળી આવ્યો છે. શહેરી વિસ્તારોમાંથી મળી આવેલા કેસોની સંખ્યા 5487 થઈ છે. ગ્રામ્ય વિસ્તારોમાંથી મળી આવેલા કેસો જોઈએ તો ગોધરાના ગ્રામ્યમાંથી 04 કેસ, હાલોલ ગ્રામ્યમાંથી 01 કેસ અને મોરવા હડફ ગ્રામ્ય 01 કેસ મળી આવ્યા છે. ગ્રામ્ય વિસ્તારોમાંથી મળી આવતા કેસની સંખ્યા 47wQbNPTDJp9hMYdvogK2hAUiHsGeiybwaWe36bwtRQ3UTpYV7YuZ8FV5j9nauFCWwcjM6dTzpL5s2N79Rp5unwdMvc8ZKUસાથે હોસ્પિટલમાંથી રજા મેળવનાર દર્દીઓની કુલ સંખ્યા 9096 થવા પામી છે. આજે 45 વર્ષથી ઉપરના કુલ 205 વ્યક્તિઓને રસી આપવામાં આવી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here