પંચમહાલ જિલ્લામાં કોરોનાની પીછેહઠ યથાવત…

ગોધરા,(પંચમહાલ)
ઈશ્હાક રાંટા

ગોધરા અને કાલોલમાં 1-1 સાથે આજે કુલ 2 નવા કેસ નોંધાયા

કુલ સક્રિય દર્દીઓની સંખ્યા 18 રહી કુલ કેસનો આંક 3959 થયો

પંચમહાલ જિલ્લામાં કોરોના સંક્રમણની સ્થિતિ સતત નબળી પડી રહી છે. નવા કેસો આવવાનું પ્રમાણ સતત એક આંકમાં જળવાઈ રહ્યું છે. આજે પણ જિલ્લામાંથી સંક્રમણના માત્ર 2 નવા કેસો મળી આવ્યા છે. જે પૈકી ગોધરામાં 1 અને કાલોલમાં 1 કેસ નોંધાયો છે. 01 દર્દીને રજા આપવામાં આવતા હાલ જિલ્લામાં સક્રિય કેસોની કુલ સંખ્યા 18 થવા પામી છે, જેમની સારવાર હાથ ધરવામાં આવી રહી છે. શહેરી વિસ્તારોમાં સંક્રમણના કુલ 2894 કેસ નોંધાયા છે. ગ્રામ્ય વિસ્તારમાં કુલ 1065 કેસ મળી આવ્યા છે. હોસ્પિટલમાંથી રજા મેળવનાર દર્દીઓની કુલ સંખ્યા 3800 થવા પામી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here