ગોધરા,(પંચમહાલ)
ઈશ્હાક રાંટા
આજે કોરોના સંક્રમણનો માત્ર ૦૧ કેસ નોંધાયો ૦૪ દર્દીઓને હોસ્પિટલમાંથી રજા અપાઈ
કુલ કેસનો આંક ૩૯૧૯ થયો કોરોનાને પછડાટ આપી ૩૭૪૭ દર્દીઓ સાજા થયા
પંચમહાલ જિલ્લામાં આજે કોવિડ-૧૯ સંક્રમણનો માત્ર ૧ કેસ મળી આવ્યો છે. છેલ્લા કેટલાક સમયથી કોરોનાના નવા કેસોની સંખ્યા સતત ઘટતી જાય છે. હાલમાં સક્રિય કેસોની કુલ સંખ્યા ૩૩ થવા પામી છે. સંક્રમણના કુલ કેસની સંખ્યા ૩૯૧૯ થવા પામી છે. ૦૪ દર્દીઓને સારવાર બાદ હોસ્પિટલમાંથી રજા આપવામાં આવતા હાલની સ્થિતિએ જિલ્લામાં સક્રિય દર્દીઓની સંખ્યા ૩૩ થઈ છે, જેમની સારવાર હાથ ધરવામાં આવી રહી છે. આ એકમાત્ર કેસ ગોધરામાંથી મળી આવ્યો છે. આ સાથે શહેરી વિસ્તારોમાં સંક્રમણના કુલ ૨૮૬૮ કેસ નોંધાયા છે. ગ્રામ્ય વિસ્તારમાં કુલ ૧૦૫૧ કેસ મળી આવ્યા છે. સારવાર બાદ સાજા થતા આજે કુલ ૦૪ દર્દીઓને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી. આ સાથે હોસ્પિટલમાંથી રજા મેળવનાર દર્દીઓની કુલ સંખ્યા ૩૭૪૭ થવા પામી છે. જિલ્લામાં કોરોનાના સક્રિય કેસોની સંખ્યા ૩૩ થઈ છે, જેમની સારવાર ચાલી રહી છે.