શહેરા,((પંચમહાલ)
ઇમરાન પઠાણ
સુપ્રિમ કોર્ટની મહોર બાદ આગામી સમયમાં ઉત્તર પ્રદેશના આયોધ્યા ખાતે ભવ્ય રામ મંદિરનું નિર્માણ કરવામાં આવશે, જેની તૈયારીના ભાગરૂપે સમગ્ર દેશમાંથી અનુદાન મેળવવામાં આવી રહ્યું છે, દેશના પ્રધાનમંત્રી દ્વારા પણ લોકોને રામ મંદિર નિર્માણ માટે ઉદાર હાથે ફાળો આપવા માટે અપીલ કરવામાં આવી હતી, ત્યારે આ અપીલને અનુસરીને આજે શહેરાના ધારાસભ્ય દ્વારા નોંધપાત્ર અનુદાન આપવામાં આવ્યું હતું, દ્વારા આજે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના જિલ્લા કાર્યવાહ હિરેભાઈ પંડ્યાની ઉપસ્થિતિમાં રૂપિયા ૫ લાખનું અનુદાન રામ મંદિરના નિર્માણ માટે આપવામાં આવ્યું હતું.