પંચમહાલ જિલ્લામાં કોરોના સંક્રમણના સક્રિય કેસોની સંખ્યા ૮૪ થઈ

ગોધરા,(પંચમહાલ)
ઈશ્હાક રાંટા

આજે કોરોના સંક્રમણના નવા ૦૯ કેસો નોંધાયા, ૧૨ દર્દીઓને હોસ્પિટલમાંથી રજા અપાઈ

કુલ કેસનો આંક ૩૮૭૦ થયો, કોરોનાને પછડાટ આપી ૩૬૪૯ દર્દીઓ સાજા થયા

પંચમહાલ જિલ્લામાં આજે કોવિડ-૧૯ સંક્રમણના નવા ૦૯ કેસ મળી આવતા સંક્રમણના કુલ કેસની સંખ્યા ૩૮૭૦ થવા પામી છે. ૧૨ દર્દીઓને સારવાર બાદ હોસ્પિટલમાંથી રજા આપવામાં આવતા હાલની સ્થિતિએ જિલ્લામાં સક્રિય દર્દીઓની સંખ્યા ૮૪ પર સ્થિર રહેવા પામી છે, જેમની સારવાર હાથ ધરવામાં આવી રહી છે. નવા મળી આવેલા તમામ કેસો ગોધરા શહેરમાંથી મળી આવ્યા છે. આ સાથે શહેરી વિસ્તારોમાં સંક્રમણના કુલ ૨૮૩૧ કેસ નોંધાયા છે. ગ્રામ્ય વિસ્તારોમાંથી આજે એક પણ કેસ મળ્યો નથી અને ગ્રામ્ય વિસ્તારમાં કુલ ૧૦૩૯ કેસ મળી આવ્યા છે. સારવાર બાદ સાજા થતા આજે કુલ ૧૨ દર્દીઓને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી. આ સાથે હોસ્પિટલમાંથી રજા મેળવનાર દર્દીઓની કુલ સંખ્યા ૩૬૪૯ થવા પામી છે. જિલ્લામાં કોરોનાના સક્રિય કેસોની સંખ્યા ૮૪ થઈ છે, જેમની સારવાર ચાલી રહી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here