ગોધરા,(પંચમહાલ)
૧૪ દર્દીઓને હોસ્પિટલમાંથી રજા અપાઈ, સક્રિય દર્દીઓનો આંક ૧૫૯ થયો
કુલ કેસનો આંક ૩૫૯૮ થયો, કોરોનાને પછડાટ આપી ૩૩૧૧ દર્દીઓ સાજા થયા
પંચમહાલ જિલ્લામાં આજે કોવિડ-૧૯ સંક્રમણના નવા ૧૭ કેસ મળી આવતા સંક્રમણના કુલ કેસની સંખ્યા ૩૫૯૮ થવા પામી છે. ૧૪ દર્દીઓને સારવાર બાદ હોસ્પિટલમાંથી રજા આપવામાં આવતા હાલની સ્થિતિએ જિલ્લામાં સક્રિય દર્દીઓ ૧૫૯ રહ્યા છે, જેમની સારવાર હાથ ધરવામાં આવી રહી છે. નવા મળી આવેલા કેસોમાંથી શહેરી વિસ્તારોમાંથી ૧૭ કેસો મળી આવ્યા છે. જે પૈકી ગોધરામાંથી ૧૧ અને હાલોલમાંથી ૦૬ કેસ મળી આવ્યા છે. શહેરી વિસ્તારોમાં સંક્રમણના કુલ ૨૬૩૧ કેસ નોંધાયા છે. આજના તમામ કેસ શહેરી વિસ્તારોમાંથી જ મળી આવ્યા છે. સારવાર બાદ સાજા થતા આજે કુલ ૧૪ દર્દીઓને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી. આ સાથે હોસ્પિટલમાંથી રજા મેળવનાર દર્દીઓની કુલ સંખ્યા ૩૩૧૧ થવા પામી છે. જિલ્લામાં કોરોનાના સક્રિય કેસોની સંખ્યા ૧૫૯ થઈ છે, જેમની સારવાર ચાલી રહી છે.