નસવાડી, (છોટાઉદેપુર) જાવેદ એન કુરેશી :-
આજરોજ તા.૨૨/૧૨/૨૦૨૩ના રોજ બાર કાઉન્સિલ ઓફ ગુજરાત ના નેજા હેઠળ ગુજરાત રાજ્યના તમામ વકીલ મંડળની ચૂંટણી કરવામાં આવી જેમાં વકીલ મંડળોની ચૂંટણી અધિકારી દ્વારા પ્રક્રિયા હાથ ધરવામાં આવેલ હતી જે પૈકી નસવાડી વકીલ મંડળ ચૂંટણી નિયમ અનુસાર ચૂંટણી અધિકારી શ્રી કુલદીપસિંહ.એન.રાજપુત દ્વારા પ્રમુખ તથા ઉપપ્રમુખ તથા મંત્રી શ્રી એ ઉમેદવારી નોંધાવેલ હતી જેમાં અન્ય કોઈ હરીફ ઉમેદવાર ન હોવાથી આજરોજ ચૂંટણી અધિકારી શ્રી કુલદીપસિંહ એન રાજપુત દ્વારા પ્રમુખશ્રી તરીકે વકીલ જયેશભાઈ બી શાહ તથા ઉપપ્રમુખ તરીકે વકીલશ્રી શહેજાદભાઈ વાય મેમણ તથા મંત્રીશ્રી તરીકે રમેશભાઈ આર પ્રજાપતિને બિન હરીફ તરીકે તમામ હોદ્દેદારોને જાહેર કરેલ છે જેને લઇ નસવાડી વકીલ મંડળના તમામ સિનિયર અને જુનિયર વકીલ મિત્રોમાં ખુશીની લહેર છવાઈ ગઈ હતી અને નવનિયુક્ત હોદ્દેદારોને ફુલહાર તથા મીઠાઈ ખવડાવી ખુશી વ્યક્ત કરી હતી અને પ્રમુખ સહિત તમામ નવનિયુક્ત હોદ્દેદારોએ નસવાડી મંડળના સભ્યશ્રીઓનો હૃદય પૂર્વક આભાર માન્યો હતો.