નસવાડી તાલુકાના પાલસર થી કંધા વચ્ચેના રોડનુ ખાતમુહર્ત કરાયુ…

નસવાડી,(છોટા ઉદેપુર) જાવેદ એન કુરેશી :-

ખાતમહૂર્તમા ભાજપના સંસદસભ્ય તથા ધારાસભ્ય જિલ્લા પંચાયતના સભ્યો અને કાર્યકરોએ હાજરી આપી હતી અને રોડનું ખાતમુહર્ત કરવામાં આવ્યુ હતુ

નસવાડી તાલુકાના પાલસર થી કંધા વચ્ચેના રોડનુ ખાતમુહર્તના સમયે સંસદસભ્ય ગીતાબેન રાઠવા અને ધારાસભ્ય અભેસિંહ તડવી ઉપસ્થિત રહ્યા હતા એમના હાથે ખાતમુહર્ત કરવામાં આવ્યું હતું જેમાં અભેસિંહ તડવીએ જણાવ્યું કે ઘણા સમયથી આ રસ્તાની ડિમાન્ડ હતી એટલે અમે ખાસ ધ્યાન આપી આ રસ્તો બનાવીએ છે આમતો ઘણા બધા ગામોમા રસ્તાઓનુ કામ લેવાનું છે જે બાર કરોડ તીયાસી લાખ નું પેકેજ છે અને પાલસર કાંધા રોડ જે બાર કિલોમીટર નો છે આમ તો સાત રોડનું આખુ પેકેજ છે આના પછી વારાફરથી દરેક રસ્તાઓ આપડે કરવાના છે અને પચાસ કરોડના રસ્તાઓ મંજુર કરાવ્યા છે જેમાં નસવાડી સંખેડા બોડેલી તાલુકાઓનો સમાવેશ થાય છે એમ ધરાસભ્યશ્રીએ જણાવ્યુ હતુ.

પાલસર કાંધા વચ્ચેના રોડ મા અમણા જે મટેરિયલ છે તે ૭૫ એમ એમ અને ઉપર ૨૫ એમ એમ માલ પાથરવામા આવશે એટલે જાડાઈ ૪ ઈંચ આવશે આ રીતે રોડ બનાવવામાં આવશે અને ખાતમહૂર્ત બાદ તરતજ કામ શરૂ કરી દેવામાં આવ્યુ હતુ કામની શરૂઆત થયા બાદ રાહદારીઓમા ખુશી જોવા મળી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here