થરાદ,(બનાસકાંઠા) જાનવી રામાનંદી, અંકુર ત્રિવેદી :-
થરાદ શહેર ભાજપ મહિલા મોરચા દ્વારા જય સત્યનગર સોસાયટી ખાતે ગરબા અને વેશ ભૂષા નું ખૂબ સુંદર આયોજન કરવામાં આવ્યું હતું,કાર્યક્રમ ના અંતે ઈનામો નું વિતરણ કરાયું હતું.જેનાં ઇન્ચાર્જ શહેર ભાજપ સંગઠન મંત્રી હેતલબેન પંચાલ હતાં,.આ પ્રસંગે જીલ્લા મહિલા મોરચા મહામંત્રી કોકીલાબેન પ્રજાપતિ,થરાદ શહેર ભાજપ મહામંત્રી પ્રકાશભાઈ સોની, મહામંત્રી જેહાભાઈ હડીયલ,મહિલા મોરચા પ્રમુખ કલાવતીબેન રાઠોડ,સંગઠન ઉપપ્રમુખ દિપિકાબેન પટેલ, મંત્રી હેતલબેન પંચાલ, મંત્રી કપિલાબેન દવે, યુવા મહામંત્રી દેવચંદભાઇ સુથાર, ઉપપ્રમુખ રસિકભાઈ વાણિયા,સોનલબેન પ્રજાપતિ,વિમળાબેન ગૌસ્વામી, પ્રતાપભાઈ વાણિયા,મનસુખલાલ રાઠોડ, દિલીપભાઈ પટેલ,સોસાયટીના પ્રમુખ જાલમસિંઘ રાવ,મંત્રી દિનેશભાઈ, ખજાનચી સુરેશભાઈ જોશી, ચેરમેન ગૌરાંગભાઈ દવે અને મોટી સંખ્યામાં ભાઈઓ અને બહેનો ઉપસ્થિત રહ્યા હતા.