નસવાડી ટાઉનમા પોલીસ કર્મીઓ દ્રારા ત્રીરંગા યાત્રા કાઢવામાં આવી

નસવાડી, (છોટાઉદેપુર) જાવેદ એન કુરેશી :-

૧૫ ઓગષ્ટ સ્વતંત્રતા દિવસ ને લઇ નસવાડી પી.એસ.આઈ સુતરીયા સાહેબ ની આગેવાનીમા પોલીસ વિભાગના કર્મચારીઓએ નસવાડી નગરમા ત્રિરંગા યાત્રા કાઢવામાં આવી જે આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત સ્વતંત્રતા પર્વના અવસરે સમગ્ર દેશમાં મારીમાટી મારોદેશ હર ઘર તિરંગા અભિયાન ની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી ત્યારે છોટાઉદેપુર જિલ્લા વહીવટીતંત્ર પોલીસ વિભાગ દ્વારા નસવાડી નગરમાં તિરંગા યાત્રા યોજી હતી આ યાત્રામાં તિરંગો લઇ ભારત માતાકી જય નાદ સાથે નસવાડીના વિવિધ માર્ગો પરથી પસાર થયા હતા આ રેલીમાં નસવાડી પોલીસ કર્મીઓ હોમગાર્ડ જીઆરડી જવાનું ટ્રાફિક જવાન રેલીમાં જોડાઈ તિરંગા યાત્રાને સફળ બનાવી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here