નસવાડી ખાતે ગ્રામ પંચાયત હોલમાં આમ આદમી પાર્ટીના હોદ્દેદારોનો સન્માન સમારોહ રાખવામાં આવ્યો

નસવાડી,(છોટાઉદેપુર) જાવેદ એન કુરેશી :-

સંખેડા વિધાન સભાના ઉમેદવારને જંગી બહુમતીથી જીતળવાના એંધાણ શરૂ કરી દીધા છે”

આજરોજ નસવાડી મુકામે ગ્રામ પંચાયત માં આમ આદમી પાર્ટી ના હોદ્દેદારો ના સન્માન સમારોહ રાખવામાં આવેલ હતો જેમાં છોટાઉદેપુર વિધાનસભા ના ઇન્ચાર્જ ડોક્ટર કેતન ભાઈ રાઠવા છોટાઉદેપુર જિલ્લાના મહામંત્રી રંજન ભાઈ તડવી તથા સંખેડા વિધાનસભાના પ્રભારી અલ્પેશભાઈ પટેલ તથા અન્ય જિલ્લા તાલુકાના હોદ્દેદારોએ મિટિંગમાં હાજર રહ્યા હતા . જેમા સ્થાનિક લોકોએ બહોળી સંખ્યામાં હાજર રહી સંખેડા વિધાનસભા ના ઉમેદવાર ને જંગી બહુમતીથી જીતળવાના આવવાના એંધાણ શરૂ કરી દીધા છે જેમાં નસવાડીના કાર્યકરો પણ મોટી સંખ્યામાં જોવા મળ્યા હતા અને આ ચાલુ સરકારમાં મોંઘવારી નું મોજુ ફરી વળતા આપણા આદિવાસી લોકોને બહુજ બેઠવુ પડેછે અને આ મોંઘવારીને કાબુ લાવવામાં માટે આમ આદમી પાર્ટી ને જીતળવામાં આવે અને વ્યવસ્થિત કાર્ય પધ્ધતિથી કામ થાય અને જે વિકાસના નામે વિનાશ થાયછે તેને રોકવા માટે હાકલ કરી હતી અને આપણા દેશ ની તમામ સરકારી મિલકતોની જે કરારના નામે વેચવામાં આવીછે તેનો શું મતલબ અને મોંઘવારી ને વધારે જોર આપતા જણાવવામાં આવ્યું કે આજે આપણા આદિવાસી લોકો જે મોંઘવારીમાં પીસાયછે તે ના પોસાય અને આટલી મોંઘવારીમાં ગરીબ માણસ વધુ ને વધુ ગરીબ થતો જાય છે તો હવે પરિવર્તન ની જરૂર છે અને પરિવર્તન લાવવુ એ આપણુ કર્તવ્ય છે તો આપણે આપણું કર્તવ્ય નિભાવી આમ આદમી પાર્ટીને જીતાડી પરિવર્તન લાવીએ એવી વાત કરવામાં આવી હતી અને સંખેડા વિધાન સભાના ઉમેદવારને જીતળવાના એંધાણ આમ આદમી પાર્ટી દ્વારા શરૂ કરી દેવામા આવ્યા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here