નર્મદા જીલ્લામાં કોવિડ-૧૯ ના ૭ (સાત) મૃતક અસરગ્રસ્તોના પરિવારોને રૂા.૫૦ હજાર લેખે DBT મારફત સહાય ચૂકવણી કરાઇ

રાજપીપળા,(નર્મદા) આશિક પઠાણ :-

જીલ્લામાં સેંકડો લોકો કોવિડનાં ખપ્પરમાં મોતને ભેટ્યા છે ત્યારે સહાય કેટલાને ચૂકવાય છે જોવું રહયું !!

રાજ્યના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ, ગાંધીનગર ધ્વારા કોવિડ-૧૯ થી મૃત્યુ પામેલ મૃતકોની નર્મદા જિલ્લા વહિવટીતંત્રને પ્રાપ્ત થયેલી યાદી પૈકીના ૭ (સાત) મૃતકના અસરગ્રસ્ત પરિવારોને જિલ્લા કલેક્ટર ડી.એ.શાહના માર્ગદર્શન અને રાહબરી હેઠળ તા.૨૭ મી નવેમ્બર,૨૦૨૧ ના રોજ પ્રત્યેક મૃતક દિઠ રૂા.૫૦ હજાર લેખે સહાયની રકમ જે તે મૃતકના વારસદારોને DBT મારફત ચૂકવવામાં આવી છે. તેમ, ડિઝાસ્ટર મામલતદાર રાજપીપલા-જિ.નર્મદા તરફથી જાણવા મળ્યું છે.

કોવીડ ની મહામારી મા નર્મદા જીલ્લા ના સેકડો લોકો મોત ને ભેટ્યા છે ત્યારે સરકારી સહાય કેટલા ને ચૂકવાય છે તે જોવું રહયું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here