નર્મદા જીલ્લાના સાગબારા તાલુકાના રણબુડા ગામે જમીન પચાવી પાડવાના મામલે આધેડની હત્યા

સાગબારા,(નર્મદા)
આશિક પઠાણ

વાડાની જમીનમા વાડ બાંધવાનો મામલો પાડોશી સાથે બીચકતા માથાંમા લાકડાંના ફટકા મારતા ગંભીર હાલતમા મોત

મૃતકની પત્નિએ સાગબારા પોલીસ મથકમાં હત્યાની ફરિયાદ નોંધાવી, પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી

નર્મદા જીલ્લાના સાગબારા તાલુકાના રણબુડા ગામ ખાતે વાડાની વાડ બાંધવાનો મામલો એટલી હદ સુધી બિચકયો હતો કે તેમા એક આધેડ વયકતિ ઉપર હુમલો થતા તેનુ મોત નિપજ્યું હતું.

મળતી માહિતી અનુસાર દેડિયાપાડા તાલુકા ના રણબુડા ગામ ખાતે જંગલની જમીનોના કબ્જા કરીને અનેક લોકોએ પોતાના ઘર એ જમીન ઉપર બનાવેલ ત્યારે જંગલ વિસ્તારમાંની એ જમીન ઉપર મૃતક રતિલાલ વસાવાના બાપ ઉતરીયા ભાઈ વસાવાએ મકાન બનાવેલ હોય ને એ મકાનમા તેનો પુત્ર રતિલાલ ઉતરીયા વસાવા નાઓનો પોતાના પરિવાર સાથે રહેતો હોય તેનાં કબજાની જમીનમા વાડ બાંધતો આ વાડ બાંધવાનો મામલો બિચકયો હતો જેથી તેની પાડોશમા રહેતા આરોપી હેમંત ધનસીગ વસાવાએ રતીલાલ ઉતરીયા વસાવા ઉ.વર્ષ 56 ઉપર લાકડાંથી હુમલો કરી માથાંમા ગંભીર ઈજા પહોંચાડી હતી જેમાં તેનુ સારવાર દરમ્યાન મોત નિપજ્યું હતું.

સાગબારા પોલીસે આ મામલે અગાઉ પણ ફરિયાદ દાખલ થઇ હતી પરંતુ પાછળથી ઇજાગ્રસ્ત નુ મોત નિપજ્યું હોય ને આરોપી સામે હત્યા ની ફરિયાદ મૃતક ની પત્નિ કરુણાબેન વસાવા એ નોંધાવી છે . આ મામલે પોલીસે કાયદેસર ની કાર્યવાહી હાથ ધરીહોવાનું જાણવા મળ્યું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here