ડેડીયાપડા, (નર્મદા) આશિક પઠાણ :-
આદીવાસી સમાજમા ગરીબ આદિવાસી બાળકોને મદદરૂપ થવાની ભાવના
નર્મદા જિલ્લા ના દેડીયાપાડા ખાતે આવેલ તીર્થ છાત્રાલય માં રેહતા ૯ આંનાથ બાળકો ને જેમને અભ્યાસ માં જરૂરિયાત ની વસ્તુ ઓ નો અભાવ હોવાની માહિતી અંકલેશ્વર ના સેવાભાવી મિત્ર મંડળને નજીવી મદદની જાણ કરતા કોય નીખુસી માટે આપણે નિમિત્ત બનીએ એજ આપણો શ્રેષ્ઠ કર્મ છે કાર્યને સાર્થક કરવા માટે તીર્થ છાત્રાલય ડેડીયાપાડા ખાતે 9 બાળકો બાળકીઓ ને અભ્યાસ માટે સ્ટેશનરી સામાન આ જરૂરિયાત મંદ અનાથ બાળકો ને આપવામા આવ્યુ હતું
બાળકો ને આપવામા આવેલ કીટ માં વોટરપ્રુફબેગ, બે પેન્સિલ, બે નોટબુક, કંપાસ, પાણી પીવાની બોટલ નો સમાવેશ કરી કીટ આપી માનવતાનું ખૂબ મોટું કાર્ય કરીને અન્ય ને પણ પ્રેરણા આપી હતી, શાળાના ચાલુ સત્ર ૨૦૨૩/૨૪ ના શૈક્ષણીક વર્ષ મા પોતે સારો અભ્યાસ કરી સારા પરફોર્મન્સ સાથે આગળ વધે એવી કમિટમેન્ટ વિદ્યાર્થીઓ એ દાતાઓને આપી તેઓનો આભાર વ્યક્ત કર્યો હતો.
ગરીબ અનાથ બાળકો ના ઉત્સાહ વર્ધક આ કાર્ય માં સોલીયા ગામના આગેવાન દિનેશભાઈ વસાવા કુટીલપાડા ના સુરેન્દ્ર ભાઈ વસાવાએ સહયોગ આપી એક ઉમદા ઉદાહરણ સમાજ ને આપ્યુ હતું.