રાજપીપળા,(નર્મદા)
આશિક પઠાણ
રાજયના બેસ્ટ આંગણવાડી અને બેસ્ટ તેડાગરના ” માતા યસોદા” એવોર્ડથી સન્માનિત કરાયા
નર્મદા જિલ્લા હસ્તકના આઇ.સી.ડી.એસ. બાલવાડી વિભાગમાં સેવા બજાવતા આંગણવાડી કાર્યકરોને ગાંધી જયંતીના અવસરે ” માતા યશોદા ” એવોર્ડથી સન્માનિત કરાયા હતા.
ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના હસ્તે ગાંધીજયંતીના રોજ ગાંધીનગર ખાતે રાજ્યકક્ષાએ પ્રથમ વિજેતા નર્મદા જિલ્લાના આંગણવાડી કાર્યકર શ્રીમતી હેતલબેન રણજીતભાઇ પટેલ અને તેડાગર શ્રીમતી સુમિત્રાબેન વસાવાને માતા યશોદા એવોર્ડ એનાયત કરી તેમનું બહુમાન કરાયું હતું.