રાજપીપળા,(નર્મદા)
આશિક પઠાણ
ભાજપા સહિત કોગ્રેસ અગ્રણીઓએ ગાંધીજીની પ્રતિમા ને પુષ્પાંજલિ અર્પિ
રાજપીપળા ખાતે ગાંધીજયંતી ની ભારે દબદબા ભેર ઉજવણી કરવામાં આવી હતી. ગાંધીજી ની પ્રતિમા ને રાજકીય આગેવાનો, સામાજિક કાર્યકરો સહિત ગાંધીવાદી વિચાર ધારા સાથે આજે પણ જોડાયેલા આગેવાનોએ તેમની પ્રતિમાને શ્રધધાસુમન અર્પણ કર્યા હતા.
ભાજપના સાંસદ મનસુખભાઈ વસાવા, ભાજપા મહામંત્રી ગજેન્દ્રસિંહ જાડેજા, શહેર પ્રમુખ રમણસિહ રાઠોડ, તાલુકા ભાજપા પ્રમુખ અરવિંદ પટેલ, તાલુકા પંચાયત વિરોધ પક્ષના નેતા દિવ્યેશ વસાવા, ભાજપ અગ્રણીઓ કમલેશ પટેલ , રાજુભાઈ વસાવા, અશોક પટેલ સહિતનાઓ ઉપસ્થિત રહ્યા હતા અને ગાંધી ચોક ખાતે મહાત્મા ગાંધીની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પિત કરાઇ હતી.
કોગ્રેસના આગેવાનો એ જીલ્લા કોંગ્રેસ ઉપપ્રમુખ જયંતિ ભાઈ વસાવા, માઇનોરીટી ડિપાર્ટમેન્ટના ઝોનલ ચેરમેન ઇમ્તિયાઝ કાદરી , જીલ્લા કોંગ્રેસ ના કાર્યકારી અધયક્ષ નિકુંજ પટેલ, નગરપાલિકા વિરોધ પક્ષના નેતા મુનતજીર શેખ , નગરપાલિકાના સદસયો કમલ ચૌહાણ, ચંદ્રિકાબેન વસાવા સહિતના આગેવાનોએ મહાત્મા ગાંધીની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પિ હતી.