રાજપીપળા,(નર્મદા) આશિક પઠાણ :-
ગુજરાત સરકાર દ્વારા કોરોના વેક્સીનેશન સંદર્ભે ૪૫ વર્ષથી વધુની વયજૂથના નાગરિકોને કોરોના વેક્સીનના બે ડોઝ વચ્ચેના સમયગાળા માટેની ગાઈડલાઈન રિવાઇઝડ કરવાની કામગીરી હાથ ધરેલ હોઇ, રાજ્ય સરકારની સૂચના મુજબ તા. ૧૪,૧૫ અને ૧૬ મી મે, ૨૦૨૧ દરમિયાન ૩ દિવસ સુધી નર્મદા જિલ્લામાં કોરોના વેક્સીનેશનની તમામ કામગીરી મોકૂફ રાખવામાં આવી છે, હવે થી કોરોના વેકસીન ની કામગીરી સરકાર ની નવી નીતિ અનુસાર જીલ્લા મા ફરી શરું કરવામાં આવશે.
સરકારની નવી નીતિ મુજબ કોરોના વેકસીનનો બીજો ડોઝ આપવાનાં સમયગાળામાં ફેરફાર કરાયો હોય હાલ વેકસીન આપવાનુ બંધ કરાયું છે.