રાજપીપળા સ્મશાન ગૃહમા આધુનિક નવીન ગેસની સગડી મુકવાની કામગીરી લનુ અખાત્રીજના દિને આરંભ કરાયો

રાજપીપળા,(નર્મદા) આશિક પઠાણ :-

રાજપીપળા નગર સહિત સમગ્ર નર્મદા જીલ્લા મા કોરોના પોઝિટિવ ના દર્દી ઑ ના મોટા પ્રમાણ મા મોત નીપજતાં રાજપીપળા ખાતે ના સ્મશાન ગૃહ મા મૃતકો ની અંતિમવિધિ ના પ્રમાણ માં વધારો થતાં સ્મશાન ગૃહ ખાતે નવીન ગેસ ની સગડી મુકવાની કામગીરી નો આજરોજ અખાત્રીજ ના શુભ અવસરે પ્રારંભ કરાયો હતો.

સમસ્ત વૈષ્ણવ વણિક સમાજ રાજપીપલા ના યુવાનો દ્વારા હાલ અદ્યતન સ્મશાન (નવી ગેસની સગડી મુકવાની કામગીરી) નો પ્રોજેકટ તંત્ર અને લોક સહયોગ ની અપેક્ષાથી હાથ માં લીધો છે તેની કામગીરી ની શરૂઆત આજના અખાત્રીજ ના શુભ દીને કરવામાં આવી હતી , સ્મશાન ગૃહ ખાતે વિધિવત્ મંત્રોચ્ચાર સાથે કામગીરી નો પ્રારંભ કરાયો જે પ્રસંગે તેજસભાઇ ગાંધી , અજીતભાઈ પરીખ , ગુંજનભાઈ મલાવીયા, સહિત ના યુવાનો ઉપસ્થિત રહ્યા હતા .

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here