નર્મદા જિલ્લામાં આજે RTPCR ટેસ્ટમાં વધુ ૩૦ અને એન્ટીજન (રેપિડ) ટેસ્ટમાં ૧૪ સહિતન કુલ-૪૪ પોઝિટિવ કેસ નોંધાયા

રાજપીપળા,(નર્મદા) આશિક પઠાણ

જિલ્લામા આજદિન સુધી RTPCR ટેસ્ટમાં ૧૪૧૮, એન્ટીજન (રેપિડ) ટેસ્ટમાં ૧૨૨૯ અને ટ્રુ નેટ (True nat) ટેસ્ટમાં ૬૭ દરદીઓ સહિત પોઝિટિવ દરદીઓની કુલ સંખ્યા ૨૭૧૪ થઈ

રાજપીપલાની કોવિડ હોસ્પિટલમાંથી સાજા થયેલા ૨૨ દરદીઓને આજે રજા અપાઇ

રાજપીપલાની કોવિડ હોસ્પિટલ ખાતે આજની સ્થિતિએ ૫૦ દરદીઓ, રાજપીપલાની કોવિડ કેર સેન્ટર ખાતે ૭૬, હોમ આઇસોલેશનમા ૫૯ દરદીઓ અને વડોદરા ખાતે ૧૫ દરદીઓ
સહિત કુલ-૨૦૦ દરદીઓ સારવાર હેઠળ

જિલ્લામાં આરોગ્ય ટૂકડીઓ દ્વારા આજે ૪૪,૨૫૩ વ્યક્તિઓનું કરાયેલું ડોર-ટુ-ડોર સર્વેક્ષણ: ૭૭ જેટલાં જરૂરીયાતવાળા દરદીઓને અપાયેલી સારવાર

નર્મદા જીલ્લા મા દિવસે દિવસે કોરોના પોઝિટિવ ના દર્દી ઑ ની વધતી જાય છે .જીલ્લા
મા
COVID-19 મહામારીને અનુલક્ષીને નર્મદા જિલ્લા પંચાયતના આરોગ્ય વિભાગના એપીડેમીક મેડિકલ ઓફિસરશ્રી ડૉ. આર.એસ.કશ્યપ તરફથી આજે તા.૧૯ મી એપ્રિલ, ૨૦૨૧ ના રોજ સાંજે ૬:૩૦ કલાકે પ્રાપ્ત થયેલી જાણકારી મુજબ કોરોના વાયરસના જિલ્લામાં આજે RTPCR ટેસ્ટમાં વધુ ૩૦ અને એન્ટીજન (રેપિડ) ટેસ્ટમાં ૧૪ સહિત કુલ-૪૪ પોઝિટિવ કેસ નોંધાયા છે. આમ, જિલ્લામાં આજદિન સુધી RTPCR ટેસ્ટમાં ૧૪૧૮, એન્ટીજન (રેપિડ) ટેસ્ટમાં ૧૨૨૯ અને ટ્રુ નેટ (True nat) ટેસ્ટમાં ૬૭ દરદીઓ સહિત જિલ્લામા પોઝિટિવ દરદીઓની કુલ સંખ્યા ૨૭૧૪ નોંધાવા પામી છે.ગતરોજ જીલ્લા મા 42 પોઝિટિવ કેસો નોધાયા હતા જયારે આજે એ આંકડા મા બેનો વધારો થયો છે.

રાજપીપલાની કોવિડ હોસ્પિટલમાંથી સાજા થયેલા ૨૨ દરદીઓને આજે રજા અપાતા, જિલ્લામાં આજદિન સુધી કોવીડ હોસ્પિટલમાંથી સાજા થયેલા ૧૫૯૫ દરદીઓ, કોવીડ કેર સેન્ટરમાંથી સાજા થયેલા ૯૧૬ દરદીઓ સહિત કુલ-૨૫૧૧ દરદીઓને રજા આપવામાં આવી છે. આમ, હોમ આઇસોલેશનમા ૫૯ દરદીઓ ઉપરાંત રાજપીપલાની કોવિડ હોસ્પિટલ ખાતે આજની સ્થિતિએ હવે ૫૦ દરદીઓ, રાજપીપલાની કોવિડ કેર સેન્ટર ખાતે ૭૬ અને વડોદરા ખાતે ૧૫ દરદીઓ સહિત કુલ-૨૦૦ દરદીઓ સારવાર હેઠળ છે.

આજે RTPCR ટેસ્ટમાં ૭૪૦ અને એન્ટીજન (રેપિડ) ટેસ્ટમાં ૧૦૦૭ સહિત કુલ-૧૭૪૭ ટેસ્ટ સેમ્પલ ચકાસણી માટે એકત્ર કરાયેલ છે.
પ્રાપ્ત થયેલ અહેવાલ મુજબ નર્મદા જિલ્લામાં આજે તા.૧૯ મી એપ્રિલ, ૨૦૨૧ ના રોજ આરોગ્ય ટૂકડીઓ દ્વારા કુલ-૪૪,૨૫૩ વ્યક્તિઓનું ડોર-ટુ-ડોર સર્વે કરવામાં આવ્યું છે, જેમાં શરદી-ખાંસીના-૨૮ દરદીઓ, તાવના-૨૬ દરદીઓ, ઝાડાના ૨૩ દરદીઓ સહિત કુલ-૭૭ જેટલા દરદીઓ ઉકત ચકાસણી દરમિયાન મળી આવતાં આ દરદીઓને જરૂરી સારવાર પુરી પાડવામાં આવી છે. તેની સાથોસાથ આયુર્વેદિક ઉકાળાનો આજદિન સુધી ૧૦૦૧૮૦૯ લોકોએ લાભ લીધો હતો અને હોમિયોપેથી રક્ષણાત્મક ઉપાય તરીકે આર્સેનિક આલ્બમ-૩૦ પોટેન્સી ગોળી ૯૦૪૬૪૧૮ લોકોને વિતરણ કરાઇ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here