શહેરા વેપારીમિત્રો અને તંત્ર દ્વારા સ્વૈચ્છિક લોકડાઉન બુધવાર,ગુરુવાર અને શુક્રવારના રોજ જાહેર કરવામાં આવ્યું

શહેરા,(પંચમહાલ) ઇમરાન પઠાણ :-

શહેરા તાલુકામા ગ્રામ્ય અને શહેરી વિસ્તારમાં કોરોના કેસ વધતા વેપારી અને તંત્ર દ્વારા ૧૯ તારીખ ના રોજ મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું હાલ નો ચાલતો કોરોના ટ્રેન્ડ અત્યંત ભયાનક હોવાના કારણે તેની ચેઇન તોડવા તંત્ર દ્વારા અવિરત મહેનત કરવામાં આવી રહી હતી ત્યારે તે ચેઇન ને તોડવા ૧૯ તારીખના રોજ વેપારીમિત્રો તથા અધિકારીઓ સાથે એક મિટિંગનું આયોજન મામલતદાર ઓફિસે કરવામાં આવ્યું હતું જેમાં વેપારીઓ દ્વારા સ્વૈચ્છિક લોકડાઉન કરવામાં આવશે તેની જાહેરાત કરવામાં આવી હતી જેમાં બુધવાર,ગુરુવાર,અને શુક્રવારના રોજ સદંતર લોકડાઉન જાહેર કર્યું હતું ત્યારે અન્ય દિવસે સવારના ૮થી સાંજના ૪ વાગ્યા સુધી રાબેતા મુજબ ચાલુ રાખવામાં આવશે હાલ ના કોરોના કેસ ને દેખીને વેપારી તથા તંત્ર દ્વારા લીધેલા નિર્ણય વેપારીઓ દ્વારા બિરદાવવામાં આવ્યો હતો જેમા આ કોરોનાની ચેઇન ને તોડવા માટેનો આ નિર્ણય લેવામાં આવી રહ્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here