ડભોઇ,(વડોદરા) સરફરાઝ પઠાણ :-
ડભોઇ ભારતીય જનતા પાર્ટી ના કાર્યકરો અને યુવા મોરચા દ્વારા પ્રધાનમંત્રી નરેન્દ્ર ભાઈ મોદીના પંજાબના પ્રવાસ દરમિયાન પંજાબ ની સરકારે ગુનાહિત માનસિકતા અને બદ ઇરાદા સાથે માનનીય વડાપ્રધાન ની સુરક્ષામાં ચૂંક રાખેલ જે ખરેખર ખૂબ ગંભીર બાબત છે. આખો દેશ આજે એનો જવાબ માગી રહ્યો છે. ભારતીય જનતા પાર્ટી દ્વારા ઠેર ઠેર એના વિરોધમાં વડાપ્રધાન મોદીના દીર્ઘાયુષ માટે મહામૃત્યુંજય યજ્ઞ અને જાપ તેમજ પ્રાર્થનાઓ કરવામાં આવી રહી છે તેના અંતર્ગત આજે ડભોઇ નગર ટાવર ચોક ખાતે ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો એ સાથે મળી પંજાબના મુખ્યમંત્રી રાજીનામું આપે અને કોંગ્રેસ પક્ષના સોનિયા અને રાહુલ ગાંધી આ બાબતે માફી માંગે તેવી માગણી કરાઇ હતી.સાથે માન્ય વડાપ્રધાન ની સુરક્ષામાં સાથે થયેલ ગંભીર ઘટનાના ને લઈ કાર્યકરોએ વડાપ્રધાન દીર્ઘાયુ રહે તે માટે પ્રાર્થના કરી હતી સાથે પંજાબ કોંગ્રેસ મુખ્યમંત્રીનું રાજીનામું આપે તેવી માંગ સાથે ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો દ્વારા ટાવર ચોક ખાતે સોનિયા રાહુલ માફી માંગે અને પંજાબ ના મુખ્ય મંત્રી રાજીનામું આપે તેવા સૂત્રોચ્ચાર સાથે જોરદાર વિરોધ પ્રદર્શન કર્યું હતું આ પ્રસંગે વડોદરા જીલ્લા મહામંત્રી ડોક્ટર બી.જે બ્રહ્મભટ્ટ, શહેર પ્રમુખ ડોક્ટર સંદીપ શાહ, મહામંત્રી વંદન પંડ્યા,અમિત સોલંકી સહિત યુવા મોરચાના કાર્યકરો હાજર રહ્યા હતા.