ડભોઇ, (વડોદરા) સરફરાઝ પઠાણ :-
ડભોઇ ખાતે જગતગુરુ શ્રી વલ્લભાચાર્યજી ના 546 માં પ્રાગટ્ય દિનની ઉજવણી ના ભાગરૂપે તૃતીય પીઠાધીશ્વર પૂ.પા.ગૉ.૧૦૮ શ્રી ડૉ. વાગીશકુમારજી મહારાજશ્રી ની આજ્ઞા ઍવમ્ આશીર્વાદ થી તા: ૧૬/૦૪/૨૦૨૩ ને રવિવાર ના રોજ સવારે ડભોઇ છોટે દ્વારકાધીશ ની હવેલી ઉમા સોસાયટી ખાતે વૈષ્ણવ સમાજ દ્વારા વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજી સાંજના 4-30 કલાકે થી ભવ્ય શોભાયાત્રા મુખ્ય મનોરથ થી હર્ષદકુમાર ચંદ્રવદન શાહ ચુનીલાલપાકૅ સોસાયટી જુના બસ સ્ટેન્ડ ખાતેથી નીકળીને ડભોઇ ના રાજમાર્ગો પર પૂજ્યશ્રી નીશ્રામા બેન્ડવાજા સાથે ભવ્યથી ભવ્ય નીકળી હતી અને ત્યારબાદ છોટેદ્વારકાધીશ મંદિર ઉમા સોસાયટી ખાતે શોભાયાત્રા સમાપન કરવામાં આવી હતી તેમજ ઝારોલા વગા ખાતે મંદિર માં પ્રભુ શ્રી દ્વારકાધીશ શ્રીજીના અલૌકિક મનોરથ દર્શન અને શોભાયાત્રા પણ કાઢવામાં આવી હતી તથા સંધ્યા આરતી નું આયોજન પૂજ્યશ્રી ના કરકમલો દ્વારા કરવામાં આવેલ . તો સમગ્ર ડભોઇ ના વૈષ્ણવ સમાજ દ્વારા દ્વારકાધીશ બેઠક મંદિર પ્રભુના દર્શન અને વૈષ્ણવાચાર્યશ્રીઓના શુભ આશીર્વાદ દ્વારા પ્રભુ મહાપ્રભુજીના પ્રાગટ્ય મહોત્સવનો લ્હાવો લીધો હતો. અને હર્ષદકુમાર શાહ દ્વારા દશાલાડ વાડી ખાતે મહાપ્રસાદી નો પણ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો જેમાં મોટી સંખ્યામાં ભક્તજનોએ લાભ લીધો હતો.