છોટાઉદેપુર : જેતપુર પાવી તાલુકાના મોટી ખાંડીના ભાજપના યુવાન કાર્યકરોએ મોટી સંખ્યામા ભાજપને રામ રામ કરી કોંગ્રેસનો ખેસ ધારણ કર્યો

નસવાડી,(છોટાઉદેપુર) જાવેદ એન કુરેશી :-

ગુજરાત વિધાનસભાની ચૂંટણી ઓ આવતાંની સાથે જ પક્ષ પલટા ની સિઝનની શરૂઆત થતાં રાજકારણ ફેર બદલ રાજેન્દ્ર રાઠવાની આગેવાનીમાં કાર્યકર્તા ઓ જોડાયા

છોટાઉદેપુર પાવીજેતપુર તાલુકાના ખાડી ગામનાયુવા કાર્યકરો મોટી સંખ્યામાં ભાજપ ને રામ રામ કરી કોંગ્રેસનો ખેસ ધારણ કર્યો હતો હાલમાં આગામી દિવસોમાં ગુજરાત વિધાનસભા ની ચુંટણી ઓ આવી રહી છે ત્યારે પાર્ટી બદલવાની સિઝન આવી ગઇ છે . તો નારાજ ભાજપના કાર્યકર્તાઓ જેતપુર ધારાસભ્ય મોહનસિંહ રાઠવાના કાર્યાલય ખાતે રાજેન્દ્રસિંહ મોહનસિંહ રાઠવા (રાજુભાઈ) ના હસ્તે ફુલહાર પહેરાવી કોંગ્રેસ પક્ષમાં ૫૦ કરતા વધારે કાર્યકરો જોડાયા. હતાં અને આગામી વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસમાં દિલથી કામ કરી કોંગ્રેસ પાર્ટીને વધુ મજબૂત બનાવવા કાર્યકર્તા ઓ એ હૈયા ધારણા આપી હતી. અને વધુમાં જણાવતા કહ્યું હતું કે હજુ પણ કંઈક ભાજપના કાર્યકર્તાઓ કોંગ્રેસ પાર્ટી માં જોડાય તેવી સંભાવના લાગી રહી છે એમ કાર્યકર્તા ઓ એ જણાવ્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here