છોટાઉદેપુર જિલ્લામા બજરંગ દળની ભવ્ય ” ત્રિશુલ દીક્ષા”નો કાર્યક્રમ બોડેલીની ભગતવાડી ખાતે યોજાયો

બોડેલી, (છોટાઉદેપુર) ચારણ એસ વી :-

છોટાઉદેપુર જિલ્લામા બજરંગ દળની ભવ્ય ” ત્રિશુલ દીક્ષા”નો કાર્યક્રમ બોડેલીની ભગતવાડી ખાતે યોજાયો હતો જેમાં બોડેલી પ્રખંડમાથી 101 યુવાનોએ દેશ સેવા અને સનાતન હિન્દૂ ધર્મની રક્ષા કરવાનો સંકલ્પ લીધો હતો આ પ્રસંગે સંતશ્રી વિક્રમદાસજી બાપુ ઘોઘંબા વાળા  ખાસ ઉપસ્થિતિ રહ્યા હતા આ કાયૅૅક્રમમાં દક્ષિણ ગુજરાત પ્રાંતના બજરંગ દળના સંયોજક  કમલેશ ક્યાડા, દક્ષિણ ગુજરાત પ્રાંત બજરંગ દલના સહ સંયોજક મયુર કદમ,વિશ્વ હિન્દૂ પરિષદના વડોદરા વિભાગના ઉપાધ્યક્ષ રાજુજી કંબોજ,વડોદરા વિભાગના બજરંગ દળના સંયોજક મહેન્દ્ર રાજપૂત, વડોદરા વિભાગના સહમંત્રી નિલેશ પરમાર,પ્રવીણ તરપદા હિન્દુ જાગરણ મંચ સંયોજક છોટાઉદેપુર જિલ્લા તથા વિશ્વ હિન્દૂ પરિષદના છોટાઉદેપુર જિલ્લાના અધ્યક્ષ દિપક વ્રજવાસી તથા જિલ્લા ટીમના સદસ્યો ખાસ ઉપસ્થિત રહ્યા હતા. સંત વિક્રમદાસજી બાપુએ અને પ્રાંત બજરંગ દલ સંયોજકે હાલમાં હિન્દૂ સમાજે રાષ્ટ્રને વિશ્વગુરુ બનાવવા માટે કરવાના થતા કાર્યો અને હિન્દૂ સમાજના ઉસ્થાન માટે જરુરી કાર્યો કરવા માટે માર્ગદર્શન આપ્યું હતું.ત્રિશુલ દીક્ષામા ઉપસ્થિત રહીને ત્રિશુલ ધારણ કરેલ કાર્યકર્તાઓએ રાષ્ટ્ર માટે સેવા સુરક્ષા અને સંસ્કારના માર્ગે ચાલીને રાષ્ટ્રને પરમ વૈભવ પર લઈ જવા માટે સંકલ્પ લીધો હતો ત્રિશુલ દિક્ષામા ગામડે ગામડેથી મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા છોટાઉદેપુર જિલ્લામા બોડેલી પંથકમાં વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ સહિત સંસ્થાઓ મારફતે હિન્દુ સંગઠન વધુ મજબુત બની રહ્યા છે જેને લઈ હિન્દુઓની વિવિધ જ્ઞાતિ   વધુ સક્રિય થઈ રહી છે ત્યારે બોડેલીમાં બજરંગ દળ ગૃપ દ્વારા ત્રિશુલ દિક્ષા આપવા માટે કાયૅક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં મોટી સંખ્યામાં હિન્દુ સંગઠનો ઉપસ્થિત રહ્યા હતા
સંત વિક્રમદાસજી બાપુએ અને પ્રાંત બજરંગ દલ સંયોજકે હાલમાં હિન્દૂ સમાજે રાષ્ટ્રને વિશ્વગુરુ બનાવવા માટે કરવાના થતા કાર્યો અને હિન્દૂ સમાજના ઉસ્થાન માટે જરુરી કાર્યો કરવા માટે માર્ગદર્શન આપ્યું હતું.ત્રિશુલ દીક્ષામા ઉપસ્થિત રહીને ત્રિશુલ ધારણ કરેલ કાર્યકર્તાઓએ રાષ્ટ્ર માટે સેવા સુરક્ષા અને સંસ્કારના માર્ગે ચાલીને રાષ્ટ્રને પરમ વૈભવ પર લઈ જવા માટે સંકલ્પ લીધો હતો ત્રિશુલ દિક્ષામા ગામડે ગામડેથી મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા છોટાઉદેપુર જિલ્લામા બોડેલી પંથકમાં વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ સહિત સંસ્થાઓ મારફતે હિન્દુ સંગઠન વધુ મજબુત બની રહ્યા છે જેને લઈ હિન્દુઓની વિવિધ જ્ઞાતિ   વધુ સક્રિય થઈ રહી છે ત્યારે બોડેલીમાં બજરંગ દળ ગૃપ દ્વારા ત્રિશુલ દિક્ષા આપવા માટે કાયૅક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં મોટી સંખ્યામાં હિન્દુ સંગઠનો ઉપસ્થિત રહ્યા હતા હિન્દુ અગ્રણીઓ દ્વારા હિન્દુ સમાજને હિન્દુ વિશે માગૅદશૅન પુરૂ પાડવામાં આવ્યું હતુ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here