છોટાઉદેપુર જિલ્લામાં વધુ અવર જવર વાળા અગત્યના સ્થળોએ સી.સી.ટી.વી. કેમેરા લગાવવા અર્થે જાહેરનામું પ્રસિદ્ધ કરાયું

છોટાઉદેપુર, ચારણ એસ વી :-

છોટાઉદેપુર જિલ્લામાં બનતા ગુનાઓ અટકાવવા તેમજ ગુપ્તચર સંસ્થાઓના અહેવાલ અનુસાર ભવિષ્યમાં કોઈ મોટી ગુનાહિત ઘટના ન બને તે માટે જિલ્લાના વધુ અવરજવર વાળા સ્થળો ઉપર સી.સી.ટી.વી. કેમેરા (નાઈટ વિઝન તથા હાઈ ડેફીનેશન) વીથ રેકોર્ડીંગ મુકવા જરૂરી હોઈ છોટાઉદેપુરના અધિક જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી શૈલેષ ગોકલાણીએ તેમને મળેલ સત્તાની રૂએ એક જાહેરનામા દ્વારા કેટલાક હુકમ કર્યા છે.
જે અન્વયે જિલ્લામાં આવેલી જવેલર્સની દુકાનો તથા તમામ પ્રકારની દુકાનો, સરકારી તથા ખાનગી બેંકો, એ.ટી.એમ., ખાનગી હોસ્પિટલો, આંગડીયાપેઢી, શોપીંગ કોમ્પલેક્ષ/થિયેટર્સ/કોમર્શીયલ સેન્ટર ઉપર સિક્યુરીટીને ધ્યાને લઇ પ્રવેશ દ્વાર પર ઉપર તથા આ જગ્યાઓના પાર્કીંગ/ભોંયરું/તમામ માળ ઉપર સી.સી.ટી.વી કેમેરાની ગોઠવણી કરવાની રહેશે, જેમાં Image-color, image sensor 1/3 minimum, support-TCP/IP and remote monitoring, Resolution-600 TVL Min., Compression- H.264/MJPEG, System data storage-15 days min., With back light compensation and night vision capability વાળા સી.સી.ટી.વી કમેરા ગોઠવવાના રહેશે.
આ ઉપરાંત ૧૦ થી વધુ સંખ્યામાં બેઠક ધરાવતા રેસ્ટોરન્ટ/ગેસ્ટ હાઉસ/લોજીંગ બોડીંગ/ધર્મશાળા/અતિથી ગૃહ/વિશ્રામ ગૃહ/પેટોલ પંપ/બહુમાળી બિલ્ડીંગ/પાવર હાઉસ વગેરે ઉપર સી.સી.ટી.વી કેમેરા લગાડવા તથા ઉપર દર્શાવેલ જગ્યામાં પ્રવેશ થતા વ્યક્તિઓના ચહેરા સ્પષ્ટ રીતે દેખાય તથા ગાડીઓના નંબર પણ સ્પષ્ટ રીતે દેખાય તે રીતે સી.સી.ટી.વી કેમેરાની ગોઠવણી કરવા તેમજ સી.સી.ટી.વી કેમેરાના રેકોડીંગની ૩૦ દિવસ સુધી જાળવણી કરવા તથા હોટેલ/ધર્મશાળા/ગેસ્ટ હાઉસ વગેરે જગ્યાઓએ મુસાફરોની જરૂરી આઇ.ડી/ એડ્રેસ/ મુલાકાતનું કારણ તથા વાહનના રજીસ્ટ્રેશન નંબરોની રજીસ્ટરમાં નોંધ કરીને મુસાફરોને ઉતારો આપવા હુકમ ફરમાવેલ છે.
આ જાહેરનામું તા.૨૭/૦૪/૨૦૨૪ સુધી અમલમાં રહેશે. આ જાહેરનામાનો ભંગ કરનાર ઈસમ કાયદાની જોગવાઈ મુજબ શિક્ષાને પાત્ર થશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here