બોડેલી, (છોટાઉદેપુર) ચારણ એસ વી :-
બોડેલીમાં આજે પંજાબના કેબિનેટ મંત્રી શ્રીમાન અમન અરોરા આજે બપોરે બોડેલી સર્કિટ હાઉસમાં પ્રેસ કોન્ફરન્સ પણ રાખી હતી અને અલીપુરા ઢોકલીયા તેમજ બોડેલીમાં ડોર ટુ ડોર મુલાકાત લીધી હતી અને નાના વેપારીઓ તેમની સાથે ફોટા પડાવ્યા હતા પંજાબના કેબિનેટ મંત્રીએ જણાવ્યું હતું કે કે સરકાર લાવવી એ અમારા હાથમાં નહીં પણ તમારા હાથમાં છે માટે તમારા બાળકોનું ભવિષ્ય સુધારવું આપણે વિચારવાનું છે અને ગુજરાતી ભાઈઓ સમજી વિચારીને સરકાર લાવે તેવું જણાવ્યું હતું આજે પંજાબના કેબિનેટ મંત્રી નાના વેપારો જેવા ફૂલની લારી ચાની લારીવાળા તેમજ નાના નાના વેપારી સાથે વાતચીત કરતા આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ પર ખુશ થઈ ગયા હતા ત્યારે બોડેલી તેમજ છોટાઉદેપુરના આમ આદમી કાર્યકર્તા પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યાહતા ત્યાંરે આમ આદમી પાર્ટી પંજાબ કેબિનેટ મંત્રી અમન અરોરા પણ ખુશ થઈ ગયા હતા.