છોટાઉદેપુર કોંગ્રેસના ઉમેદવાર સુખરામભાઈ રાઠવાએ ઉમેદવારી પત્ર ભરવા જતા પેહલા જનસભાને સંબોધન કર્યું

છોટાઉદેપુર, ચારણ એસ વી :-

છોટાઉદેપુર લોકસભા કોંગ્રેસના ઉમેદવાર સુખરામભાઈ રાઠવા આજે લોકસભા નો ઉમેદવારી ફોર્મ ભરવા માટે છોટાઉદેપુર ખાતે ખૂબ મોટી સંખ્યામાં કાર્યકરો સાથે કોંગ્રેસના પૂર્વ પ્રમુખ અને રાષ્ટ્રીય નેતા જગદીશભાઈ ઠાકોર અને રાષ્ટ્રીય નેતા ઉષા નાયડુજી ઉપસ્થિત રહ્યા હતા સુખરામભાઇ રાઠવા જેવો કોંગ્રેસ તરફથી છોટાઉદેપુર લોકસભા ના ઉમેદવાર તરીકે ફોર્મ ભર્યું અને તે પહેલાં એમને ખૂબ મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકરોને સંબોધન કર્યું સુખરામભાઇ રાઠવા પૂર્વ કોંગ્રેસ ગુજરાત પ્રમુખ રહી ચૂક્યા છે અને પાવીજેતપુર વિધાનસભાના ધારાસભ્ય પણ રહી ચૂક્યા છે. આદિવાસી વિસ્તારમાં ખૂબ મોટો ચહેરો કોંગ્રેસનો ગણાય છે ત્યારે ભારતીય જનતા પાર્ટીમાં જશુભાઈ રાઠવાની ટિકિટ આપી છે અને કોંગ્રેસ તરફથી સુખરામભાઇ રાઠવા છે ત્યારે આ બંને વચ્ચે કાંટેની ટક્કર જોવા મળી રહી છે ત્યારે આજે તારીખ ૧૬/૦૪/૨૦૨૪ મંગળવારે અષ્ટમીના અત્યંત શુભ દિવસે છોટાઉદેપુર લોકસભાના ઇન્ડિયા ગઠબંધન તરફથી કોંગ્રેસ પક્ષના ઉમેદવાર સુખરામભાઈ રાઠવા ઉમેદવારી પત્ર ભરવા જતા પેહલા મહાસભાનું આયોજન કરવામાં આવ્યું જેમાં હજારોની સખ્યામાં છોટાઉદેપુર લોકસભાની જનતા અને કોંગ્રેસ કાર્યકરો જોડાઈ અને આ વિશેષ પ્રસંગે ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પૂર્વ પ્રમુખ અને રાષ્ટ્રીય નેતા જગદીશભાઈ ઠાકોર અને રાષ્ટ્રીય નેતા ઉષા નાયડુજી ઉપસ્થિત રહ્યા અને લોકોનો ઉત્સાહ વધાર્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here