ગુજરાત પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડ દ્વારા પીવાના પાણીને લગતી ફરિયાદ માટે ટોલ-ફ્રી હેલ્પલાઇન નંબર ૧૯૧૬ જાહેર કરાયો…

ગોધરા,(પંચમહાલ) ઈશહાક રાંટા :-

ગુજરાત પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડ, ગાંધીનગર દ્વારા ઓનલાઇન કમ્પ્લેઇન રજીસ્ટર કરવા માટે કંટ્રોલ રૂમ કાર્યરત છે. જેનો ટોલ-ફ્રી હેલ્પ લાઇન નબર ૧૯૧૬ છે. જેના પર પીવાના પાણીને લગતી ફરિયાદ નોંધવામાં આવે છે અને સદર ફરિયાદનો નિકાલ થયેથી જે-તે વ્યક્તિને તેની જાણ કરવામાં આવે છે. કોઇપણ વ્યક્તિ સદર ટોલ ફ્રી નંબર પર પાણીને લગતી વિવિધ પ્રકારની બાબતોને લગતી ફરિયાદ જેવી કે હેન્ડપંપને લગતી, સ્વચ્છતાને લગતી, પાણીની ક્વોલીટીને લગતી, પાણીના જથ્થાને લગતી, વ્યક્તિગત પાણી પુરવઠા યોજનાને લગતી, જુથ પાણી પુરવા યોજનાને લગતી, લાઇન લીકેજને લગતી પાણી ચોરીને લગતી વિગેરે બાબતે ફરિયાદ નોંધાવી શકે છે. તેમ કાર્યપાલક ઇજનેરશ્રી, જાહેર આરોગ્ય યાંત્રિક વિભાગ, ગુજરાત પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડ ગોધરાની એક અખબારી યાદીમાં જણાવાયું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here