કરૂણેશ વિદ્યામંદિર , સગનપુરા ખાતે વૃક્ષરોપણનો કાર્યક્રમ યોજાયો…

સગનપુરા, પ્રવાસીપ્રતિનિધિ :-

આજરોજ કરૂણેશ વિદ્યામંદિર, સગનપુરા ખાતે “વૃક્ષ વાવો પર્યાવરણ બચાવો”ના ઉદ્દેશ્ય સાથે વૃક્ષારોપણનો બહુ જ સુંદર કાર્યક્રમ કરવામાં આવ્યો. વૃક્ષારોપણના આ કાર્યક્રમમાં શાળાના મંડળના સભ્યશ્રીઓ , સરપંચશ્રી, ગ્રામજનો અને શાળાના તમામ સ્ટાફ મિત્રો પોતાના વિદ્યાર્થીઓ સાથે આ પવિત્ર કાર્યમાં જોડાયા હતા. શાળાના પટાંગણમાં આશરે 200 જેટલા વિવિધ પ્રકારના જાસુદ, મોગરો ,ગલગોટા, તુલસી, અરડુસી, લીમડો, બીલીપત્ર, દાડમ , વગેરે એમ 200 જેટલા છોડ વાવીને વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. શાળાના તમામ સ્ટાફ મિત્રોએ ખૂબ જ ઉત્સાહપૂર્વક વિદ્યાર્થીઓને વૃક્ષોનું મહત્વ સમજાવીને વૃક્ષારોપણના આ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. શાળાના આચાર્યશ્રી અલ્પેશભાઈ સુથારે વૃક્ષારોપણનું વર્તમાન સમયમાં શું મહત્વ છે તે વિશે બહુ જ સુંદર વાતો કરી હતી. તેમજ કાર્યક્રમના અંતે આવેલ મહેમાન શ્રીઓનો તેમજ તમામ સ્ટાફ મિત્રો , વિદ્યાર્થીઓનો આ પવિત્ર કાર્યમાં જોડાવા બદલ ખુબ ખુબ આભાર માન્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here