આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ-મોરબી તથા જય મહાકાલ સતવારા મિત્ર મંડળ મોરબી દ્વારા દશેરાના પર્વ નિમિતે શસ્ત્ર પુજન કાર્યક્રમ યોજાયો

મોરબી, આરીફ દીવાન :-

મોરબી આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ તથા જય મહાકાલ સતવારા મિત્ર મંડળ દ્વારા તા.૧૫-૧૦ શુક્રવાર ના રોજ દશેરા ના પર્વ નિમિતે શહેર ના અયોધ્યાપુરી રોડ સ્થિત જલારામ મંદિર ખાતે સાંજે ૫ થી ૭ કલાક દરમિયાન શસ્ત્રપુજન કાર્યક્રમ યોજવા મા આવ્યો. આ તકે આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ ના ગીરીશભાઈ ઘેલાણી, સી.ડી.રામાવત, હિતેશભાઈ જાની, નિર્મિત કક્કડ, ભાવીનભાઈ ઘેલાણી, પોલાભાઈ પટેલ, મનિષભાઈ પટેલ, હસુભાઈ પંડિત, દીનેશભાઈ પારેખ, દીનેશ સોલંકી, અમિત પોપટ, જીતુભાઈ કોટક તથા જય મહાકાલ સતવારા મિત્ર મંડળ ના પ્રભુભાઈ નકુમ, વસંતભાઈ પરમાર, ગોપાલભાઈ નકુમ, ઈશ્વરભાઈ કંઝારીયા સહીત ના અગ્રણીઓ એ ઉપસ્થિત રહી શસ્ત્રપુજન કર્યુ હતુ. જે તસ્વીરમાં નજરે પડે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here