અલીપુરા જાંબુધોડા રોડ ઉપર મધ્ય ગુજરાત વીજ કંપની પાસે મોટર સાયકલની ટક્કર વાગતા એક રાહદારીનું સારવાર દરમિયાન મોત

બોડેલી,(છોટાઉદેપુર) એસ વી ચારણ :-

તારીખ 18 ડિસેમ્બર શનિવારના રોજ રાત્રે આઠ કલાકે અલીપુરા જાંબુધોડા રોડ ઉપર આવેલ મધ્ય ગુજરાત વીજ કંપની પાસે મેઇન રોડ ઉપર મોટરસાયકલ ની ટક્કર વાગતા એક રાહદારી સારવાર અર્થે લઈ જતા મોત થયું હતું. માહિતી મુજબ બોડેલી શ્યામ કુંજ સોસાયટી માં રહેતા ભાવ સાહેબ રામદાસ સૂલતાને તેઓ અલીપુરા માં આવેલ ગોપેશ્વર મંદિર પાસે દવા બિયારણની શિવ કૃપા એગ્રો નામની દુકાન ચલાવે છે તેઓ મૂળ મહારાષ્ટ્ર ના. પીપલ ધરી તાલુકો સિલોડ જિલ્લો ઔરંગાબાદ ના વતની હતા ભાવ સાહેબ બોડેલી તરફ ચાલતા જતા રોડ ક્રોસ કરતા બોડી તરફથી આવતી મોટરસાયકલ હીરો સ્પેન્ડર પ્લસ રજીસ્ટર નંબ GJ17BQ 2393 નંબરની ચાલકે ગફલત ભરી હંકારી લાવી એકસીડન્ટ કરતા તેઓને માથાના ભાગે તથા જમણા હાથે ઇજા થતાં 108 દ્વારા બોડેલી ઢોકલીયા હોસ્પિટલમાં લાવ્યા હતા પણ વધુ ગંભીર હોવાથી તેઓને સંગમ હોસ્પિટલ લઇ ગયા હતા ત્યારે ભાઉ સાહેબ રામદાસ સુલતાને ઉંમર વર્ષ ૩૫ ને મરણ જાહેર કરેલ ત્યારે બોડેલી પોલીસ સ્ટેશન દ્વારા આગળની કાર્યવાહી હાથ ધરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here