સિદ્ધપુર,(પાટણ) આશિષ કુમાર પાધ્યા :-
સિદ્ધપુર શિશુમદિર ખાતે યોગાજંલી કેળવણી મંડળ, શ્રીસ્થળ ઔ.સ.બ્રાહ્મણ સેવા સંગઠન તેમજ સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ (રાજય કક્ષા) સિધ્ધપુરના સંયુક્ત ઉપક્રમે તલાટી કમ મંત્રી, કારકુન તેમજ અન્ય સ્પર્ધાત્મક પરીક્ષામાં યોગ્યતા પૂરવાર કરવા માર્ગદર્શન અને શિક્ષણ આપવા વર્ગો ચલાવવામાં આવી રહ્યા છે.જેમાં વિદ્યાર્થી મિત્રો નિયમિત ભાગ લઈ રહ્યા છે.આ વર્ગ ડૉ.જયેશભાઈ રાવલ, વશિષ્ઠ કેરિયર એકેડમી, મહેસાણા દ્વારા શનિવાર અને રવિવારે લેવામાં આવે છે.આગામી ત્રણ માસ સુધી આ વર્ગમાં સ્પર્ધાત્મક પરીક્ષાલક્ષી શિક્ષણ અને રોજગારલક્ષી માર્ગદર્શન આપવામાં આવે છે.