સિદ્ધપુર, (પાટણ) આશિષ આર પાધ્યા :-
ધાર્મિક નગરી સિદ્ધપુર ખાતે પવિત્ર સરસ્વતી નદીના પૂર્વ કિનારે બિરાજેલા સ્વયંભુ શ્રી અરવડેશ્વર મહાદેવ તેમજ આનર્ત ના અવધૂત સંત શિરોમણી પુજ્ય શ્રી દેવશંકર ગુરૂ મહારાજ ના આશ્રમ મુકામે નૂતન મંદિરની શિખર તેમજ શિવ પરિવાર અને હનુમાનજી,ભૈરવજી સહિત અન્ય દેવી દેવતાઓ ની મુર્તિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ પ્રસંગ આગામી તા ૦૬/૦૩/૨૦૨૪ ના રોજ થી તા ૧૦/૦૩/૨૦૨૪ સુધી પાંચ દિવસીય સાધ્ય એક કરોડ આહુતિ પૂર્વક અગિયાર કુંડી અતિ મહા રુદ્ર શાંતિ યાગ વિશ્વ કલ્યાણ અર્થે યોજાવા જઈ રહ્યો છે ત્યારે આવા મોટા ધાર્મિક આયોજન માં સમસ્ત સનાતની હિન્દુ સમાજ ને આમંત્રણ પાઠવવા માટે વિવિધ સમાજના આગેવાનો, ગામના વિવિધ મંડળો, વેપારી એસોસિયેશન ના આગેવાનો, મોહાલા તેમજ વિવિધ સોસાયટીઓ સહિત સામાજિક સંસ્થાઓ, વિવિધ સેવાકીય સંગઠનો ના પ્રતિનિધિઓ સહિત પત્રકાર મિત્રો અને વિવિધ સમાજના પ્રભુદ્ધ નાગરિકો તેમજ શ્રી અરવડેશ્વર મહાદેવ બાપા તેમજ પુજ્ય ગુરૂ મહારાજ ના ભક્તો ખુબજ મોટી સંખ્યા માં ઉપસ્થિત રહી સમગ્ર કાર્યક્રમમાં તન મન અને ધન થી સહભાગી બનવા હાકલ કરી હતી સમગ્ર કાર્યક્રમમાં શ્રી અરવડેશ્વર મહાદેવ મંદિર ટ્રસ્ટના ટ્રસ્ટી વિક્રમભાઈ ગુરૂ તેમજ કમિટીના સભ્યો દ્વારા સમગ્ર કાર્યક્રમની રૂપરેખા સમજાવી દરેકને ખુલ્લા મનથી આમંત્રણ પાઠવવામાં આવ્યું હતું.